facebook

Wednesday 25 November 2015

ashish gheshani

આશિષ ઘેશાણી દ્વારા આયોજિત ગુજરાતમાં પ્રથમવાર ‘સ્માર્ટફેસ મોડેલીંગ કોન્ટેસ્ટ’


    ચાર મિત્રો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવીને પહેલો વિચાર એ કરે કે આપણે એક સારી સુઘડ ફિલ્મ બનાવીએ. પરંતુ હું આજે એવા મિત્રોની વાત કરવાનો છું જેઓએ ગુજરાતી ફિલ્મોથી અલગ અને નેશનલ લેવલ પર જઈ શકાય એવો વિચાર કર્યો અને સ્માર્ટફેસ મોડેલીંગ કોન્ટેસ્ટનું આયોજન કરવાનો વિચાર આવ્યો. તે મિત્રો એટલે આશિષ ઘેશાણી, રેહાન શાહ, બળવંત વાલેરા અને દિલીપ તિવારી. જે અન્યો કરતા તેમને જુદા પાડે છે. વિચારીએ કે એક ફિલ્મ બનાવીએ તો તેની પાછળ ફિલ્મ જ્યાં સુધી રીલીઝ થાય ત્યાં સુધી ભરપુર સમય આપવો પડે અને સાથે સાથે તે તમારી ફિલ્મ માટે દરેક શહેરોમાં દોડાદોડી તો કરવી જ પડે. આજના સમયમાં દરેક નિર્માતાએ પોતાના શહેરમાં બેઠા બેઠા જ પોતાની ફિલ્મ રીલીઝ કરવી છે. તો કોઈ મફાભાઈ પણ ફિલ્મ જોવા જતો નથી. આશિષ ઘેશાણી મુજબ આ કોન્ટેસ્ટ પહેલા ગુજરાતમાં અને ત્યારબાદ મુંબઈ તથા દિલ્હી જેવા મહાનગરોમાં યોજાશે. આમ પણ હજી સુધી ગુજરાતમાં આવા કોઈ આયોજનો થયા હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. દરેક સ્ટેપ જેમકે ફોર્મ માટે શું કરવું તો તેમના એફ્બી પેજ પર કે વોટ્સ એપ ન. પર તમે પોતાના ચાર પાંચ ફોટોગ્રાફ મોકલીને તેમાં નામ નોંધાવી શકો છો. તે ફોટો ત્યાં બેઠેલા જજ જોશે અને નક્કી કરવામાં આવશે કે કોનું સિલેકશન કરવું. ત્યારબાદ નેશનલ લેવલની એક મોડેલ અંકિતા પરમાર સાથે તે ઉમેદવારને ફોટોશૂટનો ચાન્સ આપવામાં આવશે. આ બધી પ્રક્રિયા એકદમ ફ્રીમાં હશે. જેની કોઈપણ જાતની ફી રાખવામાં આવી નથી. જેટલા પણ ઉમેદવાર સિલેક્ટ થયા હશે તેના ફોટો કોન્ટેસ્ટ તરફથી મુંબઈના જેટલા પણ પ્રોડક્શન્સ છે તેને મોકલવામાં આવશે અને ત્યાંથી પણ જો ચાન્સ મળશે તો તેનો યશ સ્માર્ટફેસ કોન્ટેસ્ટને જાય છે.

    આ ઉપરાંત આશિષ ઘેશાણી પોતાની જ એક અર્બન ફિલ્મ ‘લવ હેઝ નો લેન્ગવેજ’ નું મુહુર્ત જાન્યુઆરી મહિનાની ૧ લી તારીખે કરવા જઈ રહ્યા છે જેમાં આ કોન્ટેસ્ટમાં પ્રથમ ત્રણ વિનરને ચાન્સ મળશે. નિર્ણાયકોમાં ગુજરાતી હસ્તી તથા બોલીવૂડમાંથી પણ કોઈ હશે. આ કોન્ટેસ્ટમાં ભારતમાંથી કોઈપણ સામાન્ય વ્યક્તિ પણ ભાગ લઇ શકશે. ખ્યાલ એ રાખવાનો રહેશે કે એમને મોડેલીંગ વિષે થોડી ઘણી માહિતી ખ્યાલ હોય. તેઓ ભલે અગાઉ કોઈ કામ ના કરી શક્યા હોય પણ આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી કાબેલિયત પુરવાર કરી શકો છો. ભલે મોડેલીંગ વિષે તમને બધો ખ્યાલ ના હોય પરંતુ દસ ટકા માહિતી હોય તે પણ ભાગ લેવા માટે બહુ છે.

    ૨૨ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં શોનું મુહુર્ત તો થઇ જ ગયું છે. જેમાં ખૂબ જ જાણીતી ગુજરાતની હસ્તીઓ જેઓ અત્યારે રાજકારણમાં સક્રિય છે તેવા નરસિંહ અગ્રવાલ (બીજેપી ઉદ્યોગ સેલ ચેરમેન), હિતેશ સોની (બોટાદ બીજેપી મેમ્બર), કિરણ પ્રજાપતિ (કોંગેસ સમિતિ ઇન્દ્રપુરી વોર્ડ પ્રેસિડેન્ટ), ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ઘણી નામી હસ્તીઓ તે સમયે હાજર રહી હતી. પ્રથમ દસ સીઝન ગુજરાતમાં થશે અને બીજી દસ સીઝન દિલ્હી ખાતે યોજાય તેવી શક્યતા છે.


    આશિષ ઘેશાણી વિષે વાત કરીએ તો તેઓ આ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા ચાર વર્ષથી સફળ રીતે સક્રિય કહી શકાય તેમ પોતાનું કામ સંભાળી રહ્યા છે. તેમના નિર્માણ હેઠળ અત્યારે ક્રાઈમ ફોકસ નામની સિરિયલનું શૂટ ચાલુ છે જેને ઇન ડીજીટલ અથવા તો જીટીપીએલ પર બ્રોડકાસ્ટ કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં તે સીરીયલના ૧૨ જેટલા એપિસોડ શૂટ થઇ ગયા છે અને તેના દિગ્દર્શક દશરથ માલી છે. તે પહેલા આશિષ ઘેશાણીએ બાલવીર ફેઈમ દેવ જોશી સાથે એક નેશનલ એડ પણ બનાવી છે. જે ઘણી ચેનલ્સ પર આવી રહી છે. મોડેલીંગ વિષે વધુ જણાવતા નિર્માતા આશિષ ઘેશાણીએ જણાવ્યું કે દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં મોડેલીંગ માટે યુવક યુવતીઓની પડાપડી થાય છે અને ગુજરાતમાંથી ઘણા એવા યંગસ્ટર્સ ત્યાં જાય છે. જેને અહીં જ આ પ્લેટફોર્મ અમે પૂરું પડીએ એવું અમે વિચાર્યું અને હવે બધાની સામે તે આવવા જઈ રહ્યું છે. અત્યારે જે પ્રકારે ગુજરાતી ફિલ્મો બની રહી છે તેમાં ખરેખર જોઈએ તો જે ટેલેન્ટ છે તે પાછળ રહી જાય છે. અમુક અંશે ભાઈબંધીમાં કે સગપણમાં લોકો કોઈને કોઈ વ્યક્તિને હીરો બનાવી નાખે છે. તે જોતા અમે જે વિનર હશે તેને જ બહુ મોટો ચાન્સ આપવાની યોજના બનાવી છે અને અમને વિશ્વાસ છે કે ગુજરાતના યુવાનો કે યુવતીઓમાં જે ટેલેન્ટ છુપાયેલું છે તે જરા પણ જો બહાર નીકળશે તો અમે અમારો પ્રયાસ સફળ ગણીશું. 


    -- ગજ્જર નીલેશ 

Sunday 8 November 2015

deepshikha naagpaal

'બિગ બોસ'ની પૂર્વ સ્પર્ધક દિપશીખા નાગપાલે કર્યું દિવાળી શોપિંગ


દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના પડદે દિવાળીની ધૂમ જોવા મળી છે. હાલમાં જ ટીવી અભિનેત્રી અને 'બિગ બોસ'ની પૂર્વ સ્પર્ધક દિપશીખા નાગપાલે પોતાના પરિવાર માટે શોપિંગ કર્યું હતું. દિપશીખાએ લોખંડવાલા માર્કેટમાંથી ખરીદી કરી હતી. તેની સાથે સિંગલ પલક મુચ્છાલ પણ હતી. 


આ સમયે દિપશીખાએ વાત કરી હતી અને કહ્યું હતું કે દિવાળી તો લોખંડવાલામાં જ હોય તેમ લાગે છે. અહીંયા ખૂબ જ રોશની હોય છે. અહીંયા સાંજે બહુ ભીડ હોવાથી તે સવારે શોપિંગ માટે આવી હતી. 


ઉલ્લેખનીય છે કે આ વખતે લોખંડવાલામાં આવેલી સોસાયટી મેમ્બર્સે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કેમ્પેઈન શરૂ કર્યું છે. જેમાં દિપશીખા પણ સામેલ છે. તેણે કહ્યું હતું કે પ્લીઝ, ફટાકડાં ના ફોડો. તેને બદલે કોઈ ગરીબની મદદ કરો. જેને કારણે તે ગરીબ પણ દિવાળી સારી રીતે મનાવી શકશે. દિવા પ્રગટાવો, મિઠાઈઓ વહેંચો પરંતુ પોલ્યુશન ના કરો. 
દિપશીખાએ આ પોઝિટિવ મેસેજ સાથે વાચકોને દિવાળીની શુભકામના પાઠવી હતી. 



anil kapoor in baroda

અનિલ કપૂર બન્યો વડોદરાનો મહેમાન: ભીડ વચ્ચે કારમાં કર્યો ડાન્સ


'રામ લખન', 'નાયકસ્લમ ડૉગ મિલિયોનયર' જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનયથી લોકોના હ્રદય પર આજે પણ રાજ કરતા બોલીવુડ સ્ટાર અનિલ કપુર આજે વડોદરાના મહેમાન બન્યા હતા. અનિલ કપૂરે એક ઝલક મેળવવા માટે હોટલ અને જ્વેલર્સના શોરૂમ પાસે ઉમટી પડેલા ચાહકો સમક્ષ 'એક દમ ઝકાસ...' ડાયલોગ બોલીને ખુશ કરી દીધા હતા. આ સાથે વડોદરાવાસીઓને નમસ્કાર, આદાબ અને સતશ્રીઆકાલ બોલીને અભિવાદન કર્યું હતું. ઉપરાંત તેઓએ વન ટુ કા ફોરના ગીત કારની છતની બહાર નિકળી ડાન્સ પણ કર્યો હતો.


શહેરના રેસકોર્સ સર્કલ નજીક એક જ્વેલરીના શોરૂમના ઉદ્ઘાઘટન પ્રસંગે આવેલા અનિલ કપુરની ઝલક મેળવવા માટે અલકાપુરી ખાતેની ફોર સ્ટાર હોટલ પાસે મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉમટી પડ્યા હતા. હોટલમાંથી બંધ લાલ કારમાં ઉદઘાટન માટે જવા નીકળેલા અનિલ કપુરે ચાહકોને ઝલક ન આપતા લોકો નિરાશ થઇ ગયા હતા. જોકે, શો રૂમ બહાર બનાવવામાં આવેલા ભવ્ય સ્ટેજ પરથી અનિલ કપુરે તેમના ચાહકોને ભરપૂર મનોરંજન પુરું પાડ્યું હતું. અનિલ કપુર શોરૂમ પર આવતા જ તેમની સુપર હિટ ફિલ્મોના ગીતોથી આવકારવામાં આવ્યા હતા. બાદમાં અનિલ કપુરે વડોદરાવાસીઓ કો મેરા ઝકાસના ડાયલોગ સાથે સંબોધતા જણાવ્યું હતું કે, આજ મજનુભાઇ માઇક ઉઠાતા હૈ ગન નહીં ઉઠાતા. મેં આપકા લખન, મુન્ના, મિ. ઇન્ડિયા, ઔર જયસિંહ રાઠોડ એક હી હૈ વોહે અનિલ કપુર. વધુમાં અનિલ કપુરે જણાવ્યું કે, મેં મારા કરીયરમાં મનોરંજન પુરું પાડ્યું છે. વડોદરામાં વેલકમ થયો છું. નો એન્ટ્રીમાં એન્ટ્રી ભલે એન્ટ્રી લીધી હતી. પરંતુ વડોદરામાં એન્ટર થયો છું. આ શો રૂમમાં એન્ટ્રી કરીને જાઉં છું તમે પણ ચાલુ રાખજો.



મોટી સંખ્યામાં ઝલક લેવા માટે ઉમટી પડેલા લોકોને જોઇ મુડમાં આવી ગયેલા અનિલ કપુરે જણાવ્યું કે, મેરા આઇ લવ યુ. મૈ બહુત ખુશ હું. ૪૩ વર્ષથી હું લોકોને 'વો સાત દિન', 'સાહેબ', 'વેલકમ', 'વેલકમ-2', 'પરીન્દા', 'રેસ', 'રેસ-2' જેવી ફિલ્મોથી મનોરંજન પુરું પાડતો આવ્યો છું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલાય આવ્યા અને કેટલાય ગયા. પરંતુ હજુ હું છું. સાથે મારા પરિવારના સભ્યો પણ ફિલ્મો સાથે મનોરંજન પુરું પાડી રહ્યા છે. તેમણે પોતાની દીકરી સોનમ કપુરની સલમાન ખાન સાથે આવી રહેલી ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'નું પણ પ્રમોશન કરી દીધું હતું.




સુપર હિટ ફિલ્મ 'રામ-લખન' નું વન ટુ કા ફોર ગીત પર ચાહકોને ઝલક આપતા અનિલ કપુરે જણાવ્યું કે, હમ રહે યા ન રહે. હમારે નિશાન રહેંગે હંમેશા કે લીએ. સફેદ શર્ટ ઉપર કોફી કલરની કોટી અને કાળા ગોગલ્સમાં આવેલા અનિલ કપુરે શો રૂમ પાસે યુવાધન ઉપર પુષ્પવૃષ્ટી કરી હતી. અને 'વેલકમ-2' ફિલ્મનો ડાયલોગ મજનું કંટ્રોલ..કંટ્રોલ બોલીને પોતાની વાણીને વિરામ આપી શો રૂમનું ઉદઘાટન કરવા માટે રવાના થઇ ગયા હતા.

swara bhaskar

''ગોંડલ શહેર છે એકદમ હર્યુંભર્યું, સલમાનસર સેટ પર કહેતાં જોક્સ ને વાર્તાઓ''
સલમાન ખાનની ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો' દિવાળી પર રીલિઝ થવાની છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ફિલ્મમાં સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, નીલ નીતિન મુકેશ, અરમાન કોહલી તથા અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં જ ફિલ્મમાં સલમાનની બહેન બનતી સ્વરા ભાસ્કર સાથે ખાસ વાત કરી હતી. સ્વરાએ ફિલ્મ કેવી રીતે મળી, ગુજરાતમાં શૂટિંગ કરવાના અનુભવ અંગે વિગતે વાતે કરી હતી. સ્વરાને ગોંડલ શહેર અને તેમાં આવેલા મહેલો ઘણાં જ ગમ્યાં હતાં. 


સ્વરા ભાસ્કર સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશોઃ
સવાલઃ 'પ્રેમ રતન ધન પાયો' ફિલ્મ કેવી રીતે મળી?
જવાબઃ સૂરજસરનો ફોન આવ્યો હતો. તેને સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી અને તેને આ સ્ક્રિપ્ટ ગમી ગઈ હતી. આ પહેલાં આ રોલ ઘણી અભિનેત્રીઓને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ પણ સલમાનની બહેન બનવા તૈયાર નહોતી. જ્યારે તેને ફોન કરવામાં આવ્યો ત્યારે પણ એમ જ હતું કે હું પણ આ રોલ કરવાની ના જ પાડીશ. સલમાન અને સૂરજ સરે મારી 'રાંઝણા' જોઈ હતી અને તેમાં મારો અભિનય ઘણો જ પસંદ આવ્યો હતો. તેથી જ મારો ઓડિશન ટેસ્ટ પણ લેવામાં આવ્યો નહોતો.


સવાલઃ ફિલ્મમાં સોનમ તથા સલમાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
જવાબઃ સોનમ સાથે 'રાંઝણા'થી મિત્રતા છે. સોનમ સાથે કામ કરવાની મજા જ આવે. અમારી વચ્ચે ક્યારેય સ્પર્ધા હોતી નથી. સોનમનું નેચર ઘણું જ સારું છે. તે ક્યારેય પીઠ પાછળ નિંદા કરતી નથી. તે ક્યારેય ગંદા રાજકારણમાં પડતી નથી. આ જ કારણથી સોનમ સાથે કામ કરવાનો ક્યારેય ડર લાગતો નથી. 
સલમાનસર સાથે સૌ પહેલાં ક્લાઈમેક્સનો સીન શૂટ કરવાનો હતો. મને તો ઘણો જ ડર લાગ્યો હતો. સલમાનસર બૅક શોટમાં હતાં અને બોડીગાર્ડ્સ પણ સાથે હતાં. મને તો સીન આપતા ડર લાગ્યો હતો. જોકે, આ સમયે સલમાનસરે એન્કરેજ કરી હતી. પછી સીન આપ્યો હતો. તે ઘણાં જ સપોર્ટિવ છે. બહુ જ સ્વીટ છે. તે ઘણી જ સારી સલાહ આપતા હોય છે. તે સારા મૂડમાં જ રહેતા હોય છે અને સેટ પર ક્યારેય કલાકારોને કંટાળો આવવા દેતા નથી. 


સવાલઃ સૂરજ બરજાત્યા સાથે આ પહેલી ફિલ્મ છે, તો તેમની સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
જવાબઃ સૂરજસર તો એટલા સારા માણસ છે કે તે તેમની સચ્ચાઈ જોઈને આપણે નાનમ અનુભવવા લાગીએ. પોતાના વિચારોને લઈને એકદમ ક્લિયર છે. સ્વીટ છે. ડાઉન ટુ અર્થ વર્ડ તેમના માટે ઘણો જ નાનો છે. આટલા ભવ્ય સેટ બનાવે, આટલા રૂપિયા ખર્ચે પરંતુ તેમના ચહેરા પર આનું અભિમાન ક્યારેય જોવા મળે નહીં. તેઓ ક્યારેય કામનું પ્રેશર લેતા નથી અને સામે કલાકારોને કામનું પ્રેશર આપતાં નથી. 

સવાલઃ ફિલ્મનો સીન ના હોય ત્યારે સલમાન સેટ પર શું કરતો હોય છે?
જવાબઃ જ્યારે ફાજલ સમય હોય ત્યારે સલમાનસર જોક્સ અને વાર્તાઓ કહેતા હોય છે. તે ઘણું જ હસાવતા હોય છે. સેટ પર ક્યારેય કંટાળો આવે નહીં. હંમેશા મજાક-મસ્તી કરતાં હોય છે. ક્યારેક તો સલમાનસર એટલી મસ્તી કરતાં હોય છે કે કોઈ ઈમોશનલ સીન ચાલતો હોય ત્યારે તે હસાવી દેતા હોય છે. જોકે, સલમાનસર ક્યારેય કામ બગાડીને મસ્તી કરતાં નથી. 


સવાલઃ સોનમ સાથે સેટ પર શું કરે?
જવાબઃ સોનમ સાથે તો સ્કૂલમાં ભણતી નાની બાળકીઓ જેવો સંબંધ રહી ચૂક્યો છે. ફિલ્મના બાકીના કલાકારોની વાત કરવામાં આવે તો નીલ નીતિન મુકેશ, દિપક ડોબરિયા, અનુપમ ખેર સાથે કામ કરવાનું ઘણું જ સારું રહ્યું. આ તમામ પાસેથી કંઈને કંઈ શીખવા મળ્યું હતું.

સવાલઃ ગોંડલમાં ગાંઠિયા, ભજીયા અને કાઠિયાવાડી ફૂડની લિજ્જત માણી કે નહીં?
જવાબઃ શૂટિંગમાં ટાઈમ જ મળ્યો નહોતો અને તેથી જ આ રીતનું ફૂડ માણ્યું નહીં પરંતુ હા સેટ પર જે ફૂડ આવતું તે ઘમું જ સારું હતું. 

સવાલઃ ફિલ્મમાં ગોંડલના નવલખા મહેલ, રિવર સાઈડ પેલેસ અને ઓર્ચિડ પેલેસની કઈ વાતો પસંદ આવી?
જવાબઃ આ મહેલમાં આવેલા મ્યૂઝિયમમાં ઘણાં જ સારા છે. તે બધા જ ફરી-ફરીને જોયા હતાં. આમાંથી એક મહેલમાં મારું ઘર છે. ફિલ્મમાં આ ત્રણેય મહેલો સતત આવતા હોય છે. ગોંડલની વાત કરવામાં આવે તો તે ઘણું જ સારું શહેર છે. આ શહેર હર્યુ-ભર્યું છે અને સુંદર છે. ગુજરાતના લોકો સારા છે અને અહીંયા કામ કરવાની ઘણી જ મજા આવી હતી. 

સવાલઃ ફિલ્મમાં તારા આઉટફિટ કોણે ડિઝાઈન કર્યાં હતાં અને તે કોઈ ઈનપુટ્સ આપ્યાં હતાં?
જવાબઃ સલમાનસરની બહેન અલવિરાએ મારા આઉટફિટ ડિઝાઈન કર્યાં હતાં. કપડાંની બાબતમાં મને ઝાઝી ખબર પડતી નથી અને મેં કોઈ જાતના ઈન-પુટ્સ આપ્યાં નહોતાં.

સવાલઃ દિવાળી પર કઈ ખરીદી કરવાની છે?
જવાબઃ આ વર્ષે મારી દિવાળી વર્કિંગ દિવાળી રહેવાની છે. હું મારી આગામી ફિલ્મના શૂટિંગમાં બિઝી છું. એટલે મારું શોપિંગ તો એરપોર્ટ પર જ થશે તે નક્કી છે. થોડી ઘણી શોપિંગ ઓનલાઈન કરી છે. 


સવાલઃ તારા ઘરમાં મોટી લાઈબ્રેરી છે અને ઘરમાં એન્ટિક પોસ્ટર બહુ જ છે, તો ઘર માટે કોઈ નવી ખરીદી કરી?
જવાબઃ મને સાહિત્યનો ઘણો જ શોખ છે. મને બુક્સ વાંચવી ગમે છે. અત્યારે તો મારું ઘર એન્ટિક પોસ્ટરથી જ ભરાઈ ગયું છે એટલે નવા પોસ્ટર મૂકવાની જગ્યા જ રહી નથી. હવે તો મારે મોટું ઘર ખરીદવું પડે એમ લાગે છે. મેં ક્યારેય ગુજરાતી સાહિત્ય વાંચ્યું નથી. 

Thursday 5 November 2015

prinal oberoy

આ ફિલ્મ નિર્માતાઓની પ્રથમ ફિલ્મ છે એવું લાગ્યું જ નથી : પ્રીનલ ઓબેરોય


    નિર્માતા હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને રીધમ કંડોલીયાની ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં લીડ ભૂમિકામાં આવી રહેલી પ્રીનલ ઓબેરોય ગુજરાતના દર્શકો માટે હવે નવું નામ નથી રહ્યું. આમ પણ ગુજરાતી ફિલ્મોમાં બીનગુજરાતી હિરોઈનોનું વર્ચસ્વ પહેલાથી જ રહ્યું છે. જેમાં પહેલું નામ જાણીતી અભિનેત્રી સ્નેહલતાનું આવે. હા, સ્નેહલતા બીનગુજરાતી અને એક ચુસ્ત મહારાષ્ટ્રીયન અભિનેત્રી હતી અને તેનું ખરૂ નામ પણ સ્નેહલતા નહોતું. આ તો ફક્ત ફિલ્મોમાં તેમનું નામ હતું. એવી ઘણી અભિનેત્રીઓ છે જે ગુજરાતી ફિલ્મોમાં ચમકી અને પ્રખ્યાત બની. રોમાં માણેક, આનંદી ત્રિપાઠી વગેરે. પ્રીનલ ઓબેરોય વિષે વાત કરીએ તો તે ઘણી હિન્દી ટીવી સીરીયલો કરી ચુકી છે અને અત્યારે પણ તે અમુક સીરીયલ્સમાં દેખાય છે. છેલ્લા સાત મહિનાથી પ્રીનલ ઓબેરોય કલર્સ ચેનલ પર અશોકા સીરીયલ કરી રહી છે. જેમાં તેને રેડી થવામાં બે બે કલાકનો સમય નીકળી જાય છે છતાં પણ તે પોતાનું પાત્ર બખૂબી નિભાવી રહી છે. તેને હવે થોડો ચેન્જ જોઈતો હતો કે એક જ ગેટઅપમાં અભિનય કરીને તેઓ હવે કંઇ નવું કરવા માગતી હતી જેથી તેઓએ આ ફિલ્મમાં સારૂ પાત્ર લગતા સ્વીકારી. અભિનય તો તેના અંગે અંગમાં છે અને રાકેશ બારોટ સાથે તેની જોડી દર્શકોએ સ્વીકારી પણ છે. જેમાં પ્રેમનું જાદુ મંતર, પ્રીત સાયબા ના ભૂલાય છે એટલે ફરીવાર આ જ જોડી પોતાનો જાદુ ચલાવવા આ ફિલ્મમાં આવી રહી છે. ફિલ્મમાં તેનું પાત્ર મોટા ઘરની દીકરીનું છે જે ખૂબ જ લાડ પ્રેમથી મોટી થઇ હોય છે. ખોટી વસ્તુ અને ખોટા લોકોથી તે નફરત કરે છે. સત્યનો સાથ આપવામાં મને છે. પ્રીનલ કહે છે, ફિલ્મની સ્ટોરી બહુ જ સરસ લખવામાં આવી છે. ફિલ્મમાં ઘણું મનોરંજન છે અને સસ્પેન્સ પણ છે. જે હજી સુધી કલ્પના પણ ના કરી હોય તેવા વળાંકો આ ફિલ્મમાં આવે છે. તો આમાં મને કંઇક જુદો રોલ ભજવવા મળ્યો તેનાથી મને આનંદ છે. આ પહેલા મારી અગ્નિપરીક્ષા રીલીઝ થઇ જેમાં ઘણું અલગ મારૂ પાત્ર હતું અને હવે કંઇક હટકે કરી રહી છું. ડોનનું પાત્ર ભજવવું બહુ જ મુશ્કેલ હતું જયારે આ પાત્રમાં એક સીધી સાદી યુવતીનું પાત્ર ભજવી રહી છું.

પ્ર – ફિલ્મોમાં અને પરિવાર વચ્ચે સમયનો તાલમેલ કેવી રીતે મેળવો છો?
ઉ – આ બધું જ મારા હસબંડને લીધે પોસીબલ છે. એના સપોર્ટ વગર તો મારા માટે અભિનયનું કામ કરવું શક્ય જ નથી. તેઓ મને ઘણી મદદ કરે છે. ક્યારેક શૂટ પર મોડું થઇ જાય છે તો તેઓ સમજે છે કે કામમાં મોડું થઇ ગયું હશે. પરંતુ બંને એકસાથે ઘર પર હોઈએ ત્યારે ઘર પણ સંભાળીએ અને પોતપોતાનું કામ પણ સારી રીતે સંભાળી શકીએ છીએ.

પ્ર – આગળ શું વિચારેલું છે?
ઉ – આ ફિલ્મ અત્યારે કરી રહી છું. આગળનું હજી વિચાર્યું નથી. હું મારા કામને લઈને બહુ જ ચૂઝી છું. મને રોલ પસંદ આવે તો જ હું તે સ્વીકારું છું. મને જે ફિલ્મમાં હીરોઈનનું મહત્વ હોય તેવા રોલ જ વધુ કરવા ગમે છે. મને ઝાડ ફરતે ફરીને નાચવામાં કોઈ રસ નથી.

પ્ર – ફિલ્મના નિર્માતા વિષે.
ઉ – ફિલ્મના નિર્માતાઓ હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને પ્રેમ કંડોલિયા ત્રણેયનો સ્વભાવ બહુ જ સારો છે. તેઓ અભિનયની બાબતમાં કોઈ દખલગીરી નહોતા કરી રહ્યા. મને લાગતું નહોતું કે હું ફિલ્મના નિર્માતા સાથે વાત કરી રહી છું. એક સામાન્ય અને આપણી સાથે રહીને કામ કરવાની જ જેમનામાં ધગશ છે તેવા વ્યક્તિ સાથે વાત કરી રહી હોઉં એવું લાગતું હતું. એમની પહેલી શરૂઆત છે ફિલ્મોમાં તો તે હિસાબે તેમનું આખું યુનિટ પણ બહુ જ સારૂ છે. ખૂબ જ કોઓપરેટીવ છે. મને લાગતું નહોતું કે તેઓ પ્રથમવાર ફિલ્મ બનાવી રહ્યા છે.



n  ગજ્જર નીલેશ 

rajdeep barot

ફિલ્મના નિર્માતા મારા ભાઈ છે એટલે આ ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ મારી જ છે : રાજદીપ બારોટ


    ગુજરાતનો લોકલાડીલો ગાયક રાજદીપ બારોટ જેટલો ફિલ્મોમાં નામના ધરાવે છે તેનાથી કંઇ વધુ પ્રખ્યાત ડાયરાકિંગ તરીકે જાણીતું નામ છે. તેઓએ અત્યાર સુધીમાં ઘણા આલ્બમો અને ડાયરાઔથી લોકોને મન મુકીને નચાવ્યા છે. જે લોકો ડાયરામાં જમાવટ કરી જાણતા હોય તેઓ અભિનય પણ સારો કરી શકે તે રાજદીપ બારોટને જોઇને અહેસાસ થાય છે. તેમનું આલ્બમ ‘કોટર પીધું’ તો ખૂબ લોકપ્રિય થયેલું અને હજી પણ તેમના ચાહકો તે ગીત લલકારતા જાય છે. નિર્માતા હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને રીધમ કંડોલિયાની ‘કંડોલિયા ફિલ્મ્સ’ ના બેનરમાં બની રહેલી ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં તેઓ ફરીવાર રૂપ રૂપનો અંબર સમી અભિનેત્રી રીના સોની સાથે પ્રણયના ફાગ ખેલતા નજરે પડશે. ફિલ્મમાં બે ભાઈઓની વાત છે જેમાં રાજદીપ બારોટે ખૂબ સરસ અભિનય આપીને લોકોની વાહ વાહ મેળવી હતી. અગાઉ રાજદીપ બારોટ અને રીના સોનીની જોડી ફિલ્મ ‘પ્રેમ કરે તો ગોરી તું હાચો કરજે’ માં હતી. આ ફિલ્મ રાજદીપની બીજી છે અને આ જોડીની પણ બીજી ફિલ્મ છે. પ્રથમ ફિલ્મમાં આ જોડીને સારો આવકાર મળ્યો જેથી તેમની કેમેસ્ટ્રી પડદા પર સારી જામે છે.

પ્ર – ફિલ્મનું પાત્ર પસંદ કઈ રીતે પડ્યું?
ઉ – મારી પહેલી ફિલ્મ જે હતી તેનાથી બહુ જ હટકે આ પાત્ર છે. પ્રથમ ફિલ્મમાં મને પ્રેમી દર્શાવવામાં આવ્યો હતો. જયારે આ ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં હું પ્રેમી છું પણ દિલથી ઘાયલ પ્રેમી છે. જે બેવફાઈનો શિકાર બન્યો છે. ગુજરાતના ગાયક તરીકે હું આ ફિલ્મમાં જોવા મળીશ. જેને પ્રેમ થઇ જાય છે. જેમાં તેને સફળતા નથી મળતી તેથી તેની સીધી અસર તેના મન પર થાય છે અને તેના ગાયકીના સુર પર પણ થાય છે. જે ગાયક પ્રેમના ગીતો ગાતો હતો તે જ હવે દર્દભર્યા ગાયનો સંભળાવતો થઇ જાય છે.
પ્ર – પ્રથમ ફિલ્મ સોલો હીરો હતી જયારે આ ફિલ્મમાં બે હીરો છે. તો તમને વિશ્વાસ છે તે દર્શકોમાં તમારી છાપ છોડી શકશો?
ઉ – હું મારી પ્રથમ ફિલ્મમાં સોલો હતો પરંતુ મને આ ફિલ્મમાં સફળતાના ઘણા અવકાશ દેખાય છે. કારણ કે, ગુજરાતના ટોપ લેવલના બબ્બે સુપર સિંગરો હું અને રાકેશ બારોટ એક સાથે આવી રહ્યા છે. એટલે પબ્લીકને આ ફિલ્મમાં ડાયરાનો ડબલ ડોઝ મળવાનો છે. ચોક્કસ અને સો ટકા આ ફિલ્મને સફળતા મળે તેવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે.

પ્ર – તમારા ચાહકો નિરાશ તો નહિ થાય ને?
ઉ – ૧૯ વર્ષથી હું ગાયકીની લાઈનમાં છું અને ઘણા આલ્બમો આપ્યા છે એટલે મારા ચાહકોને હું નિરાશ તો નહિ જ કરું. એક ગાયકની સરખામણી બીજા ગાયક સાથે થાય એમાં ડર ન હોય. વસ્તુ એક જ છે કે અત્યાર સુધી કોઈપણ ફિલ્મમાં બે પ્રતિષ્ઠિત ગાયકો નથી આવ્યા અને ફિલ્મના નિર્માતા હર્ષદ કંડોલિયા મારા મિત્ર છે તેથી મે તેમની આ ફિલ્મમાં અભિનય કરવાની મંજુરી આપી. અત્યાર સુધી ઘણા પ્રોડ્યુસરોએ મને આવી ઓફર આપેલી પણ મે ના કહી દીધેલી છે.  
પ્ર – તમે વાસ્તવિક રીતે પણ સિંગર છો અને પાત્ર પણ તેવું જ મળ્યું. તો ખુશી થાય છે?
ઉ – મારી આગળની ફિલ્મમાં ગાયક તરીકે હું હતો પણ બહુ ખાસ નહિ. આ ફિલ્મમાં મારી એન્ટ્રી જ ગુજરાતના સુપરસ્ટાર સિંગર રાજદીપ બારોટ તરીકે થશે. જે હકીકત છે જ તેવા રોલ તમને મળી જાય તો દિલથી ખૂબ જ ખુશી થાય છે.

પ્ર – રીના સોની સાથે બીજી ફિલ્મ મળી તો હેટ્રિક મારવાની છે?
ઉ – MAરિ પ્રથમ ફિલ્મને પબ્લિકે સારો આવકાર આપેલો. દરેક થીયેટર પર હાઉસફુલ જોવા મળતું હતું. ગૌરી સિનેમામાં એ ફિલ્મની ૧૫૦ રૂપિયા બ્લેક બોલાયેલી. એ સિવાય ગુજરાતના જેટલા પણ સિંગરોની ફિલ્મો આવી છે. એમાં સૌરાષ્ટ્રના કોઈપણ સિંગર સફળ ગયો નથી. ફક્ત એક મારી જ ફિલ્મો સફળતા પામી છે. એટલા માટે મને ખ્યાલ છે કે આ ફિલ્મમાં પણ રીના સોની સાથે દર્શકો મારી જોડી સ્વીકારશે.
પ્ર – ફિલ્મના નિર્માતા દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતા હર્ષદ કંડોલિયા મારા ભાઈ જ છે એવું સમજો. એટલે આનાથી વધારે કંઇ શબ્દો જ નથી મારી પાસે અને આ ફિલ્મ મારી જ છે એમ કહીશ તો પણ કંઇ ખોટું નથી. મનીષ પટેલ છે કે પ્રેમ કંડોલિયા છે તે ત્રણેય મારા જીગરજાન મિત્રો છે. હું આ ફિલ્મમાં હીરો તરીકે તો છું જ સાથે સાથે તેમના ભાઈ તરીકે પણ તેમની સાથે છું. અહીં આ યુનિટમાં કામ કરવાની મને બહુ જ મજા આવી. મને કોઈએ ફરિયાદનો એક પણ મોકો નથી આપવા દીધો. ફિલ્મના દિગ્દર્શક રાહુલ વેગડના ગીતો ફિલ્મ રીલીઝ થાય ત્યારથી જ ધૂમ મચાવવાના છે અને એમની દિગ્દર્શન તેઓ જે રીતે કરી રહ્યા છે તે વખાણવાલાયક છે. તેઓ પોતે એક સારા લેખક છે એટલે એમને મનમાં સ્ક્રીપ્ટ હોય એટલે તેઓ કામ સારૂ કરી જાણે છે. વિજય દલવાડી આ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૯ – ૨૦ વર્ષથી સક્રિય છે. એની જે શોટ લેવાની સેન્સ છે તે મને ખૂબ જ ગમી. તે કોઈપણ કલાકારને ઉજળો બનાવી જાણે છે.



n  ગજ્જર નીલેશ 

satyen varma

સત્યેન વર્મામાં અભિનય વૈવિધ્ય છે 

૧૫ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અભિનેતા – દિગ્દર્શક તરીકે કાર્યરત હાલમાં બીગ મ્યુઝીક ચેનલ પર નારદ સીરીયલમાં ભિન્ન ભિન્ન કેરેક્ટર નિભાવે છે. આ સીરીયલમાં કોમેડી સર્કસ ફેઈમ મંત્રા જે નારદની ભૂમિકામાં છે તેમની સાથે કામ કરવાની ઘણી મજા આવે છે.

આ ઉપરાંત હમણાં દિગ્દર્શક તરીકે એક ડીવીડી ફિલ્મનું પ્રોડક્શન કરી રહ્યા છે. જે લગભગ જુલાઈમાં ફ્લોર પર જશે. આ ફિલ્મ આહીર સમાજ પર છે. કચ્છમાં આવેલા વ્રજવાણી ધામ પર રીયલ સ્ટોરીનું ફિલ્માંકન કરવા જઈ રહ્યા છે. તથા એક્ટિંગ અને ડીરેક્શનની સિને ક્રીએશન નામની એકેડમી ચલાવે છે. જેમાં ઘણા સ્ટુડન્ટ્સને તેમના ૧૫ વર્ષના અનુભવનો લાભ મળી રહે છે. 

manish patel

એકદમ નમ્ર અને સાલસ સ્વભાવના નિર્માતા મનીષ પટેલનું ફિલ્મ નિર્માણક્ષેત્રે આગમન


    નિર્માતા હર્ષદ કંડોલિયા, રીધમ કંડોલિયા અને મનીષ પટેલ કંડોલિયા ફિલ્મ્સના બેનર હેઠળ એક ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ફિલ્મનું નામ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ છે. જેના નિર્માતા મનીષ પટેલની વાત કરીએ તો એકદમ નમ્ર અને સાલસ વ્યક્તિત્વ ધરાવે છે. બહુ શાંતિથી કામ પાર પાડવામાં માને છે. ઉતાવળાપણું કે કોઈ કામ જલ્દી કરી નાખવું તેવું નથી કરતા. બહુ સમજી વિચારીને જ આગળ વધાય તેવો તેમનો જીવનમંત્ર છે.ફિલ્મમાં ગુજરાતના લોકપ્રિય લોકગાયકો અને એ પણ બબ્બે રાજદીપ બારોટ અને રાકેશ બારોટને લેવાનું સાહસ કર્યું છે. એટલે પ્રથમ ફાયદો નિર્માતાઓને એ થશે કે તે બંને ગાયકોના ચાહકો તો ફિલ્મને પ્રેક્ષક રૂપે મળી જ રહેવાના છે. એ ઉપરાંત તેઓએ અત્યાર સુધી સાથે પણ હજી સુધી એક પણ ડાયરો નથી કર્યો. આ ફિલ્મમાં તેઓને બંનેને એક ડાયરામાં રમઝટ મચાવતા પણ જોવા મળવાના છે. ફિલ્મ સામાજિક છે અને સાથે તેમાં લવસ્ટોરી પણ છે અને એ પણ બબ્બે લવસ્ટોરી. ફિલ્મનું જમા પાસું એ છે કે અત્યારે સમાજમાં ફેલાયેલું એક દુષણ એટલે વ્યાજનું વિષચક્ર. જે વ્યક્તિ આ વિષચક્રમાં ફસાય છે તે અંદર ને અંદર ખુપતો જ ચાલ્યો જાય છે. આ દુષણ અત્યારે દરેક ગામ અને મોટા મોટા મહાનગરોમાં પણ ફેલાયેલું છે. તે બાબત પર થોડો પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી ફસાય ગયા પછી કેવી રીતે મહા મુસીબતે માણસ બહાર આવે તે હદયદ્રાવક કથા છે જેનું સરસ નિરૂપણ આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે.

પ્ર – એક જ ક્ષેત્રના બે સિંગર એકસાથે લીધા તો તકલીફ થયેલી?
ઉ – ના, અમને એવી કોઈ તકલીફ નથી પડી જેના લીધે અમારી ફિલ્મ પર અસર થાય. બંનેએ ખૂબ જ સરસ અને એકબીજાને મદદરૂપ થઇ શકે તે રીતે અમારી આખી ફિલ્મનું શુટિંગ પાર પાડ્યું હતું. આ અમારી એવી પ્રથમ ફિલ્મ છે જેમાં અમે બે મોટા ગજાના ગાયકોને સાથે લાવી રહ્યા છીએ. ફિલ્મ દરમિયાન એવા ઘણા પ્રસંગો બન્યા છે જે મને જીવનભર યાદ રહેશે. આ મારી પ્રથમ ફિલ્મ છે છતાં પણ મને એમ નથી લાગ્યું કે હું પહેલીવાર ફિલ્મ બનાવી રહ્યો છું. દરેક નાના મોટા કલાકારો તથા ટેકનીશીયનોએ પૂરેપૂરો સપોર્ટ આપ્યો. દરેક મોટા કલાકારોને જોઇને પહેલા મને એમ થતું હતું કે તેઓ બહુ જાહેરમાં નહિ આવતા હોય. પરંતુ મને એમની સાથે કામ કરીને એવું લાગ્યું કે તેઓ પણ આખરે આપણી જેમ એક વ્યક્તિ જ છે ને. તેઓ હમેશા લોકોની ટચમાં રહેવા માંગતા હોય છે. એકદમ સાલસ સ્વભાવના કલાકારો મને મારી ફિલ્મ માટે મળ્યા જેનાથી મને આનંદ છે. તેઓ પણ ખૂબ જ ખુશ હતા કે એક નવો કન્સેપ્ટ આવી રહ્યો છે જેમાં બે ટોચની હિરોઈનો અને બે ગાયકો સાથે આવી રહ્યા છે.

પ્ર – તમારી પ્રથમ ફિલ્મનો અનુભવ કેવો રહ્યો?
ઉ – ખૂબ સરસ અનુભવ રહ્યો. આનો સંપૂર્ણ શ્રેય હું મારા મિત્ર અને મારા પાર્ટનર હર્ષદ કંડોલિયાને આપું છું. મને નાનપણથી ફિલ્મો પ્રત્યે લગાવ હતો પણ મને એવું કોઈ પ્લેટફોર્મ કે એવું કોઈ માધ્યમ મને નહોતું મળ્યું કે જેના દ્વારા હું આ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશી શકું. હર્ષદ કંડોલિયા મારા બાળપણના મિત્ર હૂવાથી જુનો પરિચય અને મારો ફિલ્મો જોવાનો શોખ એમને ખબર હતો. તેમણે મારી સામે પ્રસ્તાવ મુક્યો કે આપણે પણ એક સારી અને સામાજિક ફિલ્મ બનાવીએ. મને પણ એમની વાતમાં રસ પડ્યો, સ્ક્રીપ્ટ વાંચી અને આગળ વધ્યા.
પ્ર – યુનિટમાં કેવું વાતાવરણ રાખવાનો પ્રયાસ કર્યો?
ઉ – અમે દરેક કલાકારને સારી સુવિધાઓ આપી જેનાથી તેઓ શુટિંગ પૂર્ણ કરીને જયારે પાછા ફરે ત્યારે એકદમ તરોતાજા ફ્રેશ થઇ શકે અને દરેક માટે કોઈ ખામી ના આવે. જે પણ વસ્તુની જરૂર પડે તે હાજર કરી આપવી. યુનિટમાં નોનવેજ કે દારૂ જેવા નશીલા પદાર્થો લાવવાની સખત મનાઈ કરી દેવામાં આવી હતી.

પ્ર – ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિષે.
ઉ – ગુજરાતી ફિલ્મો અત્યારે મધ્યમ વર્ગના લોકો જ માણે છે. ખરૂ જોતા આપણી પોતાની માતૃભાષાની ફિલ્મો માટે દરેક વર્ગના લોકોએ એટલે કે મધ્યમ અને જે ભણેલા ઉચ્ચ વર્ગના અને આગળ પડતા છે તેમણે પણ માણવી જોઈએ. અત્યારે જે દર્શક છે તે મધ્યમ વર્ગ જ છે. તેને આગળ લાવવા માટે દરેક નાગરિકે ફિલ્મ જોવી જોઈએ. ગુજરાતી ફિલ્મોમાં આપણી સંસ્કૃતિ દેખાય છે. તેને વળગી રહેવા માટે જ નિર્માતાઓ ફિલ્મો બનાવે છે. તેને સાથ આપશો તો તે કંઇક નવું કરવા પ્રેરાશે.
પ્ર – ફિલ્મના દિગ્દર્શક ?
ઉ – ફિલ્મના દિગ્દર્શકો રાહુલ વેગડ અને વિજય દલવાડી પાસેથી અમને બહુ જ સારૂ કામ મળ્યું છે. રાહુલ વેગડે ફિલ્મના સોન્ગ્સ પણ લખ્યા છે. જે કાનને ગમે તેવા બન્યા છે. વિજય દલવાડી તરફથી ખૂબ સહકાર મળ્યો. તેમનું દિગ્દર્શન કરવાની પધ્ધતિ બહુ જ સારી હતી. તેઓ બધા કલાકારોને સમજાવટથી કામ લેતા હતા.


n  ગજ્જર નીલેશ 

yoga day

ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીઓએ કર્યા યોગા







ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ અભિનેત્રીઓ કોમલ ઠક્કર અને નિકિતા સોનીએ ગઈ ૨૧ જુન વર્લ્ડ યોગ ડે ની ઉજવણીના અનુસંધાને પોતાના કમનીય કાયાને સુડોળ રાખવા યોગા કર્યા હતા. જેમાં કોમલ ઠક્કરનું ઇન્ડસ્ટ્રીઝમાં એક આગવું નામ તેણે પોતાની પ્રતિભાને પારખીને કમાયું છે. તેણી અચૂક કોઈને કોઈ ફંકશનમાં હાજરી આપતી રહે છે અથવા તો કોઈ સામાજિક પ્રોગ્રામો થતા હોય તો કચ્છની આ રાણી તેમાં અચૂક જોવા મળે જ છે. તેની આગામી ફિલ્મ ‘આ તો પ્રેમ છે’ ટૂંક સમયમાં રીલીઝ થવાની છે. તે સિવાય કોમલ ઠક્કર અડધો ડઝન જેટલી ફિલ્મોમાં અભિનય આપી રહી છે. કોમલ ઠક્કર આમ પણ યોગાના ક્લાસ ચલાવી રહી છે. અન્ય એક હિરોઈન અને ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની બોલ્ડ ઈમેજ ધરાવતી નિકિતા સોની પણ દરરોજ નિયમિત યોગા કરે છે. તે પણ રીક્ષાવાળીના જીવન પર આધારિત ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ માં સેક્સી લૂકમાં જોવા મળવાની છે.