facebook

Showing posts with label naresh kanodiya. Show all posts
Showing posts with label naresh kanodiya. Show all posts

Saturday, 24 October 2015

pooja kanodiya

મહેશ કનોડિયાની એકની એક દીકરીનું અવસાન : યુવાનીમાં જ કમળો ભરખી ગયો


    ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાની દીકરી પૂજાનું કમળામાંથી કમળી થઈ જતાં અવસાન થયું હતું. પૂજાની સારવાર અમદાવાદની હોસ્પિટલમાં ચાલતી હતી. જ્યાં વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. પાર્થિવ દેહને સુરત લઈ આવવામાં આવ્યો હતો. અંતિમયાત્રામાં સામેલ થવા કનોડિયા પરિવાર પણ સુરત આવ્યો હતો. જ્યારે અંતિમયાત્રામાં હિતુએ બહેનને કાંધ આપી હતી. એકની એક દીકરીના અવસાનથી મહેશ કનોડીયા અપસેટ થઈ ગયા હતાં. અને ભારે આઘાતની લાગણી અનુભવી હતી. અને તેની તબિયત ખરાબ હોવાના કારણે હાજર રહ્યા ન હતા. જ્યારે મોના થીબા પણ પ્રગનેન્ટ હોવાના કારણે હાજર રહી ન હતી.
    મહેશ કનોડિયાની એકની એક દિકરી પૂજા લિવરની બિમારીથી પિડાતી હતી. આ બાબતની જાણ મહેશ કનોડિયાને થતાં તેણે નરેશ કનોડીયાને આ અંગે વાત કરી હતી. જેથી નરેશ કનોડિયાએ તેમની સારવાર અમદાવાદની એપોલો હોસ્પિટલમાં કરાવવા સુચના આપી હતી. જેથી છેલ્લા ઘણા સમયથી ત્યાં સારવાર ચાલી રહી હતી. પરંતુ બિમારી વધી જતાં છેલ્લા ૧૦ દિવસથી એપોલો હોસ્પિટલમાં પૂજાની સારવાર ચાલી રહી હતી. જેમાં પૂજાને કમળામાંથી કમળી થઈ જતાં તેમનું અવાસન થયું હતું.
    મહેશ કનોડિયાની પુત્રી પૂજાના લગ્ન સુરતમાં એમ્બ્રોઈડરી અને ડાઈંગના વ્યવસાય સાથે સંકળાયેલા ગણપતભાઈ પરમારના દિકરા હિમાંશુ સાથે ૧૭ વર્ષ પહેલા થયાં હતાં. પૂજાના ધૂમધામથી થયેલા એરેન્જ મેરેજ બાદ પૂજાને સંતાનમાં એક દીકરી જન્મી હતી. જેનું નામ પૂજાએ તેની રાશી મુજબ પ્રિયાંશી રાખ્યું હતું. પૂજાની દીકરી પ્રિયાંશી હાલ ૧૩ વર્ષની છે. અને તે રેડિયન્ટ સ્કૂલમાં ૬ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. પૂજાના અવસાનથી પ્રિયાંશીએ માતાની છત્ર છાયા ગુમાવતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

    એકની એક અને લાડકવાયી દીકરી પૂજાના મોતના સમાચાર મહેશ કનોડીયાને મોડેકથી આપવામાં આવ્યાં હતાં. મહેશ કનોડીયાની તબિયત સારી ન હોવા છતાં તેણે જ્યારે પૂજાના મોતના સમાચાર સાંભળ્યાં ત્યારે આધાત અનુભવ્યો હતો. અને એકની એક કાળજાના કટકા સમી દીકરીના મોતના સમાચારથી ધેરા શોકની લાગણી અનુભવતાં મહેશ કનોડીયાએ રોકકળ કરી મુકી હતી. મહેશની હાલત સારી ન હોવાથી તેઓ અંતિમક્રિયામાં સુરત નહીં આવી શકે તેમ ગણપતભાઈએ જણાવ્યું હતું.
    ગુજરાતી ફિલ્મોમાં નામના મેળવી ચૂકેલા મહેશ કનોડીયાની દીકરીએ બાળપણથી જ તેની પ્રતિભા સાબિત કરી આપી હતી. પૂજા કનોડીયાએ નવ વર્ષની ઉમરથી ગાવાનું શરૂ કર્યું હતું. પિતાના ગાયનનો વારસો દીકરીમાં ઉતર્યો હોય તેમ નવ વર્ષની પૂજાએ આદ્યાશક્તિની આરતી રેકોર્ડ કરી હતી. જે આજે પણ દરેક ઘરમાં સંભળાતી જોવા મળે છે. નવ વર્ષથી ગાવાની શરૂઆત કરનારી પૂજાએ ૧૧૯ ફિલ્મોમાં પોતાના કંઠને આપ્યો હતો. પૂજાનું ''મને તારા મલકમાં લઈ જા હો રાજ વિલાયતના વરરાજા'' સૌથી વધુ ફેમસ થયેલું ગીત હતું. પૂજાને આ સિવાય ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાવા બદલ શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ પણ મળ્યો હતો.
    મહેશ કનોડીયાની એકની એક દીકરી પૂજાના અવસાનથી મહેશભાઈએ એકની એક દીકરી ગુમાવી છે. જ્યારે ગણપતભાઈએ જણાવ્યું હતું કે, મેં પણ મારી એકની એક પુત્ર વધુ ગુમાવી છે. જ્યારે પૂજાની એક માત્ર દીકરી પ્રિયાંશીએ તેની માતા ગુમાવી છે.  એકની એક દીકરી, એકની એક પુત્ર વધુ અને માતા ગુમાવતાં કનોડીયા અને પરમાર પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે.


n  ગજ્જર નીલેશ
   


Saturday, 26 September 2015

naresh kanodiya

ભારતીય ‘ઓસ્કાર ફિલ્મ એવોર્ડ’ પસંદગી કમિટિમાં નરેશ કનોડિયાની નિયુક્તિ !
નરેશ કનોડિયાની નિયુક્તિ ‘ઓસ્કાર ફિલ્મ એવોર્ડ’ પસંદગી કમિટિમાં થતા સૌ કોઈ આશ્ચર્ય અનુભવે છે. મામલો ગજેન્દ્ર ચૌહાણ જેવો બને તેવી શક્યતા
     ભારતીય ઓસ્કાર ફિલ્મ એવોર્ડ કમિટિના સદસ્ય તરીકે ગુજરાતી ફિલ્મોના અભિનેતા નરેશ કનોડિયાની પસંદગી થઇ હોવાના અહેવાલો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને આ મામલે સોશિયલ મીડિયામાં ડીબેટ પણ થઇ રહી છે અને સૌ કોઈ આશ્ચર્ય અનુભવી રહ્યા છે. આ અહેવાલોમાં કેટલું તથ્ય છે તે અંગેની કોઈ નક્કર બાબતો હજુ સત્તાવાર જાણવા મળી નથી પરંતુ આ મામલે અખબારી કચેરીઓ પર પણ સતત પૃચ્છાઓ શરૂ રહી છે.
    ગુજરાતી ફિલ્મોના અભિનેતા નરેશ કનોડિયા ઓસ્કારમાં ફિલ્મ મોકલવા માટે ભારતીય ફિલ્મની પસંદગી કરશે અને તેના માટેની જે કમિટિ છે તે કમિટિમાં તેઓ સદસ્ય રહેશે અને તે નક્કી કરશે કે આ ફિલ્મ ઓસ્કારમાં મોકલવા જેવી છે કે કેમ? અને તેનો અભિપ્રાય આપશે. આ તમામ બાબતો લોકોમાં ચર્ચાસ્પદ બની છે. હાલાકી એક વાત બહુ સ્પષ્ટ છે કે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે નરેશ કનોડિયા ખૂબ જ લોકપ્રિય છે. સતત બે દાયકાથી વધુ નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગત પર રાજ કર્યું છે અને અનેક એવોર્ડ મેળવ્યા છે. તેમના મોટા ભાઈ મહેશ કનોડિયા પણ ખૂબ જ લોકપ્રિય ગાયક અને સંગીતકાર હતા. તેઓ પાટણના સાંસદ તરીકે પણ સેવા આપી ચુકેલા છે આ ઉપરાંત નરેશ કનોડિયા પણ ગુજરાતના માજી ધારાસભ્ય છે. નરેશ કનોડિયાની પસંદગી ભારતીય ઓસ્કાર ફિલ્મ પસંદગી કમિટિમાં થતા સ્વાભાવિક જ ગુજરાતના કોઈ ફિલ્મ કલાકારને આ કક્ષાએ સ્થાન મળે તેનાથી સ્વાભાવિક જ આશ્ચર્ય થઇ રહ્યું છે. જો અહેવાલો સાચા હોય તો ગુજરાત માટે ખૂબ જ ગૌરવની બાબત છે અને ગુજરાતી ફિલ્મ જગત માટે પણ આ અહેવાલો ખૂબ જ ખુશીરૂપ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ફિલ્મ સેન્સર બોર્ડમાં મહાભારત ટીવી સીરીયલમાં કર્ણની ભૂમિકા ભજવનાર ગજેન્દ્ર ચૌહાણની નિયુક્તિ થઇ છે અને તે મામલે ભારે વિવાદ થઇ રહ્યા છે. નરેશ કનોડિયાની નિયુક્તિના મામલે પણ આવો જ વિવાદ થવાની સંભાવનાઓ પણ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર મામલે ઢોલીવૂડ અને બોલીવૂડમાં પણ ચર્ચાઓ જાગી છે. નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગતમાં અસંખ્ય સિલ્વર જ્યુબીલી ફિલ્મ આપી છે. અને કલાક્ષેત્રે તેમનું પ્રદાન તેમજ ગુજરાતી ફિલ્મ જગત ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધનીય રહ્યું છે.



n  ગજ્જર નીલેશ