facebook

Showing posts with label hitu kanodiya. Show all posts
Showing posts with label hitu kanodiya. Show all posts

Saturday, 24 October 2015

pooja kanodiya

મહેશ કનોડિયાની એકની એક દીકરીનું અવસાન : યુવાનીમાં જ કમળો ભરખી ગયો


    ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાની દીકરી પૂજાનું કમળામાંથી કમળી થઈ જતાં અવસાન થયું હતું. પૂજાની સારવાર અમદાવાદની હોસ્પિટલમાં ચાલતી હતી. જ્યાં વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. પાર્થિવ દેહને સુરત લઈ આવવામાં આવ્યો હતો. અંતિમયાત્રામાં સામેલ થવા કનોડિયા પરિવાર પણ સુરત આવ્યો હતો. જ્યારે અંતિમયાત્રામાં હિતુએ બહેનને કાંધ આપી હતી. એકની એક દીકરીના અવસાનથી મહેશ કનોડીયા અપસેટ થઈ ગયા હતાં. અને ભારે આઘાતની લાગણી અનુભવી હતી. અને તેની તબિયત ખરાબ હોવાના કારણે હાજર રહ્યા ન હતા. જ્યારે મોના થીબા પણ પ્રગનેન્ટ હોવાના કારણે હાજર રહી ન હતી.
    મહેશ કનોડિયાની એકની એક દિકરી પૂજા લિવરની બિમારીથી પિડાતી હતી. આ બાબતની જાણ મહેશ કનોડિયાને થતાં તેણે નરેશ કનોડીયાને આ અંગે વાત કરી હતી. જેથી નરેશ કનોડિયાએ તેમની સારવાર અમદાવાદની એપોલો હોસ્પિટલમાં કરાવવા સુચના આપી હતી. જેથી છેલ્લા ઘણા સમયથી ત્યાં સારવાર ચાલી રહી હતી. પરંતુ બિમારી વધી જતાં છેલ્લા ૧૦ દિવસથી એપોલો હોસ્પિટલમાં પૂજાની સારવાર ચાલી રહી હતી. જેમાં પૂજાને કમળામાંથી કમળી થઈ જતાં તેમનું અવાસન થયું હતું.
    મહેશ કનોડિયાની પુત્રી પૂજાના લગ્ન સુરતમાં એમ્બ્રોઈડરી અને ડાઈંગના વ્યવસાય સાથે સંકળાયેલા ગણપતભાઈ પરમારના દિકરા હિમાંશુ સાથે ૧૭ વર્ષ પહેલા થયાં હતાં. પૂજાના ધૂમધામથી થયેલા એરેન્જ મેરેજ બાદ પૂજાને સંતાનમાં એક દીકરી જન્મી હતી. જેનું નામ પૂજાએ તેની રાશી મુજબ પ્રિયાંશી રાખ્યું હતું. પૂજાની દીકરી પ્રિયાંશી હાલ ૧૩ વર્ષની છે. અને તે રેડિયન્ટ સ્કૂલમાં ૬ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહી છે. પૂજાના અવસાનથી પ્રિયાંશીએ માતાની છત્ર છાયા ગુમાવતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

    એકની એક અને લાડકવાયી દીકરી પૂજાના મોતના સમાચાર મહેશ કનોડીયાને મોડેકથી આપવામાં આવ્યાં હતાં. મહેશ કનોડીયાની તબિયત સારી ન હોવા છતાં તેણે જ્યારે પૂજાના મોતના સમાચાર સાંભળ્યાં ત્યારે આધાત અનુભવ્યો હતો. અને એકની એક કાળજાના કટકા સમી દીકરીના મોતના સમાચારથી ધેરા શોકની લાગણી અનુભવતાં મહેશ કનોડીયાએ રોકકળ કરી મુકી હતી. મહેશની હાલત સારી ન હોવાથી તેઓ અંતિમક્રિયામાં સુરત નહીં આવી શકે તેમ ગણપતભાઈએ જણાવ્યું હતું.
    ગુજરાતી ફિલ્મોમાં નામના મેળવી ચૂકેલા મહેશ કનોડીયાની દીકરીએ બાળપણથી જ તેની પ્રતિભા સાબિત કરી આપી હતી. પૂજા કનોડીયાએ નવ વર્ષની ઉમરથી ગાવાનું શરૂ કર્યું હતું. પિતાના ગાયનનો વારસો દીકરીમાં ઉતર્યો હોય તેમ નવ વર્ષની પૂજાએ આદ્યાશક્તિની આરતી રેકોર્ડ કરી હતી. જે આજે પણ દરેક ઘરમાં સંભળાતી જોવા મળે છે. નવ વર્ષથી ગાવાની શરૂઆત કરનારી પૂજાએ ૧૧૯ ફિલ્મોમાં પોતાના કંઠને આપ્યો હતો. પૂજાનું ''મને તારા મલકમાં લઈ જા હો રાજ વિલાયતના વરરાજા'' સૌથી વધુ ફેમસ થયેલું ગીત હતું. પૂજાને આ સિવાય ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાવા બદલ શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ પણ મળ્યો હતો.
    મહેશ કનોડીયાની એકની એક દીકરી પૂજાના અવસાનથી મહેશભાઈએ એકની એક દીકરી ગુમાવી છે. જ્યારે ગણપતભાઈએ જણાવ્યું હતું કે, મેં પણ મારી એકની એક પુત્ર વધુ ગુમાવી છે. જ્યારે પૂજાની એક માત્ર દીકરી પ્રિયાંશીએ તેની માતા ગુમાવી છે.  એકની એક દીકરી, એકની એક પુત્ર વધુ અને માતા ગુમાવતાં કનોડીયા અને પરમાર પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે.


n  ગજ્જર નીલેશ
   


Friday, 4 September 2015

3 star

કોણ છે ઢોલીવૂડના સલમાન , શાહરૂખ અને આમીર ?


વર્ષોથી બોલીવુડના ત્રણ ખાન સલમાન , શાહરૂખ અને આમીર બોક્સ ઓફીસ પર રોકડી કરાવતા આવ્યા છે. દર્શકોમાં લોકપ્રિય બન્યા છે અને આજે નવા ચહેરાઓ અને નવા સ્ટાર્સ ની વચ્ચે પણ તે એટલા જ લોકપ્રિય રહ્યા છે. આ ત્રણ સ્ટાર ની તિકડમ માત્ર બોલીવૂડ માં જ છે એવું નથી , આપણા ગુજરાતી સિનેમામાં પણ ત્રણ એવા સ્ટાર છે, જેમની સરખામણી બોલીવૂડના સલમાન, શાહરૂખ અને આમીર સાથે થઇ શકે! તો કોણ છે આજની તારીખમાં ઢોલીવૂડ ના સલમાન, શાહરૂખ અને આમીર ? ચાલો જોઈએ..

    "
વોન્ટેડ" ફિલ્મથી સલમાને સાઉથ ટાઈપ એક્શન ફિલ્મોનો ક્રેઝ ઊભો કર્યો અને પછી તો સતત એની ચાહના દર્શકો માં વધતી જ ગઈ. સલમાન નું નામ પડે એટલે દર્શકો થીયેટરો સુધી આંધળી દોડ મુકે છે , એમના માટે ફિલ્મ કયા પ્રકારની છે , એનો દિગ્દર્શક કોણ છે, આ બધી બાબતો બીજા ક્રમે આવે છે , એમના પૈસા તો સલમાન ખાનની એકdશનમાં અને તેના ડાઈલોગ્સ તથા ગીતોમાં જ વસૂલ થઇ જાય છે. બિલકૂલ એ જ રીતે ઢોલીવૂડમાં વિક્રમ ઠાકોર આજના સમયમાં દર્શકોનો લાડીલો છે. ફિલ્મ વિક્રમ ઠાકોરની હોય એટલે ટીકીટબારી પર હાઉસફૂલના પાટિયા પાક્કા . સાથે જ સિલ્વર જુબિલી કે ગોલ્ડન જુબિલી પણ પાક્કી.

   
વિક્રમ ઠાકોરની ફિલ્મ સંપૂર્ણ મનોરંજક અને સાથે મોટા બજેટની હોય છે , જેમાં એક્શન દ્રશ્યો પર અને ગીતો પર મોટા ખર્ચે કામ થયું હોય છે , વળી વિક્રમ પોતે જ જાણીતા સિંગર છે , સાથે તેઓ ગીતના લેખનમાં અને સંગીતમાં પણ સારી સૂઝ ધરાવે છે. સલમાનની જેમ વિક્રમના ડાઈલોગ્સ પણ લોક જીભે ચઢી જાય છે. સલમાનની ફિલ્મના ગીતો મસ્તી ભર્યા હોય છે, ત્યારે વિક્રમની ફિલ્મો પણ મસ્તીભર્યા ગીતોથી અને સુપરહિટ સંગીતથી સજ્જ હોય છે. સલમાનની જેમ વિક્રમની ફિલ્મો પણ "લાર્જર ધેન લાઈફ" એક્શનથી ભરપૂર હોય છે. આ બધા કારણો જ બનાવે છે વિક્રમ ઠાકોર ને ઢોલીવૂડનો લાડીલો સલમાન.
   
બોલીવૂડનો સિતારો શાહરૂખ ખાન એક રોમેન્ટિક ઈમેજ ધરાવતો હતો. શાહરૂખે એકથી એક ચડિયાતી લોકપ્રિય રોમેન્ટિક ફિલ્મો આપી . પણ છેલ્લા કેટલાક વર્ષોમાં શાહરૂખ ખાને માત્ર ટીપીકલ રોમેન્ટિક ફિલ્મો કરવાનું કે દર્શકો એ તેને જે પાત્રો માં વધાવ્યો છે, એ પ્રકારના પાત્ર કરવાનું છોડી ને એક્સપરીમેન્ટસ કરવાનું શરુ કર્યું , "ચક દે ઇન્ડિયા" , "સ્વદેશ " , "રા.વન" જેવી ફિલ્મો માં અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ કરીને પોતાની જાતને એક એકટર તરીકે વધુ ને વધુ પૂરવાર કરવાના પ્રયત્નો કર્યા. અને આવું કરવામાં તેમણે બહુ મોટા જોખમનો વિચાર ન કર્યો કે, દર્શકો તેમના સ્ટારને આવી ભૂમિકાઓ માં સ્વીકારશે કે કેમ ? આવું જ જોખમ ઢોલીવૂડના સ્ટાર હિતેન કુમારને પણ હતું, જયારે તેઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં નિર્ણય કર્યો , માત્ર સારી અને વૈવિધ્યપૂર્ણ ભૂમિકાઓ સ્વીકારવાનો.

   
ગુજરાતી ફિલ્મના પડદે અપાર સફળતા મેળવનાર હિતેન કુમાર માટે ચોક્કસ અઘરું રહ્યું હશે આવું નક્કી કરવું કારણ કે, દર્શકો પોતાના સ્ટારને એક ઈમેજમાં બાંધીને ચાલતા હોય છે અને તેઓ સિનેમાહોલમાં જયારે પોતાના ફેવરીટ સ્ટારની ફિલ્મ જોવા જાય ત્યારે તેમના માઈન્ડ માં અમુક ચોક્કસ પ્રકારની અપેક્ષાઓ હોય છે કે, એ સ્ટાર તેમને ડાન્સ આપશે , રોમેન્સ આપશે , પણ તેમ ન થતા તેમને પોતાનો ગમતો સ્ટાર એક ચેલેન્જીંગ ભૂમિકામાં જોવા મળે છે. હિતેન કુમાર માત્ર પાત્રને મહત્વ આપે છે , પછી તેમના માટે એ જરૂરી નથી હોતું કે એ પાત્ર હીરોનું જ હોય. પાત્ર વિલનનું હોય પણ દમદાર હોય તો પણ તે એ પાત્ર કરવાનું સ્વીકારે છે , અને એ પાત્ર પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવીને દર્શકોની વાહવાહી મેળવે છે. હિતેનકુમારનો ચેલેન્જીંગ રોલ કરવાનો અને અલગ અલગ ભૂમિકાઓમાં પોતાને એક કાબિલ એક્ટર તરીકે મૂલવવાનો કે સાબિત કરવાનો આ અંદાજ તેમને બનાવે છે , ઢોલીવૂડના શાહરૂખ ખાન.
   
આમીરખાનને બોલીવૂડ માં બધા પરફેક્શનિસ્ટ તરીકે ઓળખે છે , તેમની ફિલ્મોની સંખ્યા ઓછી હોય છે પણ ગુણવત્તા ગગનચુંબી હોય છે , એજ રીતે ઢોલીવૂડમાં ચોક્કસ અને નક્કર કામના આગ્રહી છે હિતુ કનોડિયા. યસ , મીલેનીયમ મેગા સ્ટાર નરેશ કનોડિયા ના સુપુત્ર હિતુ કનોડિયા ઢોલીવૂડમાં પોતાના પિતાનું નામ વધુ ઊજળું કરી રહ્યા છે. ફિલ્મના સેટ પર દરેક બાબતમાં પરફેક્શન જળવાય એવો એમનો ખાસ આગ્રહ હોય છે. પોતાના કોશ્ચ્યુમથી લઇને મેકઅપમાં ગુણવત્તા જળવાઈ છે કે કેમ એ બાબત પર પણ તેમનું ખાસ ધ્યાન હોય છે . ઓછા બજેટમાં બનતી ઢોલીવૂડની ફિલ્મો માં દિગ્દર્શકોથી માંડીને કલાકારોને ઘણું બધું "ચલાવી લેવું" પડતું હોય છે , કામ નીખારવાની જગ્યાએ માત્ર કામ પતાવવાની જ જ્યાં વાત ચાલતી હોય ત્યાં પરફેક્શનનો આગ્રહ રાખો તો મોટે ભાગે લોકોએ વ્યક્તિનો દ્રષ્ટિકોણ સમજવાને બદલે તેને ખરાબ જ ચીતરે છે . પણ જેને પરફેક્ટ કામ સિવાય ચાલતું જ નથી , એ માણસ આવી નાની મોટી બાબતોની પરવાહ કરતો નથી. અને એટલે જ હિતુ કનોડિયાનું પોતાના કામમાં રહેલું પરફેક્શન પડદા પર દેખાઈ આવે છે. પોતાના પાત્રમાય તેઓ પૂરેપૂરો જીવ રેડી દે છે , અને એટલે જ હંમેશા શ્રેષ્ઠ કામ આપવાના આગ્રહી કલાકાર હિતુ કનોડિયા ને આપણે બોલીવૂડ ના આમીરખાન સાથે સરખાવીશું .
n  ગજ્જર નીલેશ


Friday, 28 August 2015

hitu kanodiya

હું તો પલમાં દિલને જીતું, ઓ ડાર્લિંગ માય નેમ ઇઝ હિતુ
હિતુ કનોડિયા


મોરના ઈંડા ચીતરવા ન પડે’ આ કહેવત મેહુલ કુમાર દિગ્દર્શિત – નિર્મિત ‘મનડાના મોર’ માં આયેશા ઝુલ્કા સાથે ચમકીને કેરિયર શરૂ કરનારા જુનિયર કનોડિયાને એકદમ બંધબેસતી થાય છે. વાચકો સમજી જ ગયા હશે કે ગુજરાતી ફિલ્મક્ષેત્રે ત્રણ દાયકાથી લોકહદયમાં રાજ કરી રહેલા અને ડાન્સિંગ સ્ટારની ઈમેજ ધરાવતા ગુજ્જુ જમ્પિંગ જેક નરેશ કનોડિયાના દીકરા હિતુ કનોડિયાની વાત કરી રહ્યા છીએ. હિતુ કનોડિયાને ફિલ્મક્ષેત્રે બે દાયકા ઉપરનો સમય વીતી ગયો. શરૂઆતમાં હિતુએ થોડો – ઘણો સંઘર્ષ વેઠવો પડ્યો હતો પરંતુ હાલ તેઓ હિટ અભિનેતાઓની યાદીમાં સામેલ છે. પોતાનું એક અલગ સ્થાન ધરાવે છે. પોતાની ઓળખ ધરાવે છે. ટૂંક સમયમાં હિતુ કનોડિયા શ્રી ફિલ્મ્સ કોર્પોરેશન પ્રસ્તુત, નિર્માતા ડી. વી. પટેલની ફિલ્મ ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ ફિલ્મમાં આવી રહ્યા છે. તો આવો જાણીએ તેમના પાત્ર વિષે.

પ્ર – ફિલ્મમાં આપના પાત્ર વિષે વાચકોને જણાવશો.
ઉ - ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ ફિલ્મમાં મારું પાત્ર એક ઇન્સ્પેક્ટરનું છે. જે ખૂબ જ ઈમાનદાર ઇન્સ્પેક્ટર હોય છે. આપણા દેશનું રાષ્ટ્રીય પ્રતિક ત્રણ સિંહની આકૃતિ છે જેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું હોય છે. ખરેખર તો ચાર સિંહ હોય છે જે પાછળનો સિંહ દેખાતો નથી. પરંતુ ફિલ્મમાં ઇન્સ્પેક્ટર પોતાને ચોથો સિંહ ગણાવે છે. જે લાચાર, પરવશ લોકો માટે લડવા હંમેશા તત્પર રહે છે.
પ્ર – તમારું કામ લોકોને જશવંત ગાંગાણીની ફિલ્મ ‘મારા રૂદિયે રંગાણા તમે સાજણા’ માંય ગમ્યું હતું પણ.........?
ઉ – તમે કહેવા માંગો છો એ હું સમજી ગયો. આ ફિલ્મ ખાસ ચાલી નહિ, એ અફસોસની વાત છે પણ એ ખૂબ જ મહેનત લઈને બનાવવામાં આવી હતી અને ખૂબ જ સારી બની હતી. એ મારી અલગ જ પ્રકારની ફિલ્મ હતી. મને લાગ્યું કે મારા પ્રશંસકો એવી અપેક્ષા રાખે છે કે હું અલગ અલગ પ્રકારના પાત્રો કરું. તેમની એ અપેક્ષાને ધ્યાનમાં રાખીને જ મેં હવે પાત્રોની પસંદગીમાં ચીવટ લેવા માંડી છે. એનું પરિણામ મને હવે સફળતારૂપે જોવે મળે છે.

પ્ર – મોનાથીબા સાથે જ ફિલ્મો કેમ કરો છો ?
ઉ – મોના માટે મને સોફ્ટ કોર્નર છે અને એની મારી સાથેની કેમેસ્ટ્રી પ્રેક્ષકોએ પણ સ્વીકારી છે અને હું મોના સાથે જ ફિલ્મો કરૂ છું એવું નથી. એ સિવાય પણ ઘણી હિરોઈનો સાથે હું ફિલ્મો કરું છું. ‘વિધિના વિધાન’ માં ક્રિષ્ણા હતી, ‘ધર્મ લાભ’ માં પ્રાંજલ ભટ્ટ, ‘નહિ રે છૂટે તારો સાથ’ માં ?????? છે. ‘રાજવીર’ માં મારી હિરોઈન કિરણ આચાર્ય હતા અને આ ફિલ્મ ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ માં પણ કિરણ આચાર્ય જ છે. એક્ચ્યુલી મોના સાથેના મારા જે પણ પ્રોજેક્ટ હોય છે, તે કંઇક હટકે હોય છે અને અમને બંનેને સારા અને હટકે પ્રોજેક્ટ કરવામાં રસ વધારે હોય છે. જેમ કે, ‘જન્મદાતા’, ’સુરજ ઉગ્યો શમણાંને દેશ’, ‘કંકુ પુરાયું માં અંબાના ચોકમાં’ આ બધી સારી અને કંઇક અલગ પ્રકારની ફિલ્મો હતી.
પ્ર – તમારા મનની એવી કઈ વાત છે જે તમે લોકો સમક્ષ જાહેર કરવા માંગો છો ?
ઉ – હા, નિર્માતા – દિગ્દર્શક જશવંત ગાંગાણીની ફિલ્મ ‘મારા રૂદિયે રંગાણા તમે સાજણા’ માટે અમે ખૂબ જ ઉત્સાહિત હતા. આ ફિલ્મ રીલીઝ થયા પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી તો ઘણા બધા કોલ આવ્યા હતા આ ફિલ્મ માટે, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સિવાયના ફક્ત ગુજરાતી ફિલ્મોના શોખીન લોકોએ પણ ફિલ્મ જોઇને ખૂબ જ વખાણ કાર્ય હતા. આ ફિલ્મનું સંગીત ગૌરાંગભાઈ વ્યાસનું હતું જે ખૂબ જ સરસ બન્યું હતું. અમે અમારો સંપૂર્ણ અનુભવ, આવડત અને મહેનત આ ફિલ્મ પાછળ લગાવી હતી. તે છતાં આ ફિલ્મ મલ્ટીપ્લેકસમાં સુરત છોડીને એવરેઝ રહી હતી અને સિંગલ સ્ક્રીન સિનેમામાં પણ એવરેઝ બીઝનેસ કર્યો હતો. આટલી સારી ફિલ્મ હોવા છતાં પૂરતા પ્રેક્ષકો મળતા નથી તો ખબર નથી પડતી કે પ્રેક્ષકોને શું જોઈએ છે ? આ ફિલ્મ સફળ થઇ હોત તો મને જ નહિ પરંતુ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને પણ નવું જોશ મળત. મેં હવે સારી વાર્તા, સારો વિષય, સારા દિગ્દર્શક સાથે જ કામ કરવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી ઘણા નવા કલાકારોને સપોર્ટ કરવા માટે તેમની ફિલ્મોમાં મેં સપોર્ટીંગ એક્ટર તરીકે પણ ઘણું કામ કર્યું છે. અત્યારે પણ સપોર્ટીંગ એક્ટર માટે ઘણા ફોન આવે છે. પરંતુ મારે હવે સપોર્ટીંગ એક્ટર તરીકે વધુ કામ કરવાની ઈચ્છા નથી. મારૂ માનવું છે કે મેં આપબળે અને મહેનતથી ઉભી કરેલી સફળતા અને નામ મારી સાથે છે. હું એકલો હોઉં અને પબ્લિક મને સ્વીકારે છે, બાકી સપોર્ટીંગ એક્ટર તરીકે મારે કામ નથી નરવું.
પ્ર – ફિલ્મો માટે આગળ શું વિષારી રહ્યા છો ?
ઉ – સારી ફિલ્મો, સારી ભૂમિકા અને એમાં સારું કામ કરવું, પપ્પા જેવું નામ કમાવવું, એવોર્ડઝ જીતવા, નામના મેળવવી...............     

di; mso-bidi-language:GU'>ઉ – હાલમાં હું ભુપતભાઈ ભાવનગરીની ફિલ્મ ‘કેસર કેશવ ને કંકુ’ તથા ડી. વી. પટેલની ફિલ્મ ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ નું શુટિંગ કરી રહ્યો છું. જેમાં મારો રોલ પોઝીટીવ છે.

પ્ર – સબસીડી વિષે શું કહેશો ?
ઉ – સબસીડી વિષે મારે એઝ એ એક્ટર કઈ બોલવાનું હોતું જ નથી પરંતુ તો પણ ગુજરાતી ફિલ્મો માટે સબસીડી અત્યારે એક વરદાન સાબિત થાય છે. સબસીડી બંધ થવાથી નિર્માતાઓ નારાજ થયા હોય, નાખુશ થયા હોય એ વાત બરાબર છે પણ એક વસ્તુ છે કે જે નિર્માતાઓ સબસીડી માટે જ ફિલ્મો બનાવતા હતા તે લોકોને મોટો ફટકો પડશે. તે લોકો આમાંથી બાકાત થઇ જશે કારણ કે તે લોકો ફક્ત સબસીડીની લાલચથી જ ફિલ્મો બનાવતા હતા. અને ગુજરાતી ફિલ્મોનું સ્ટાડર્ડ સુધરશે અને જે નિર્માતાઓ સારી ક્વોલીટીની ફિલ્મો બનાવતા હશે તેઓને સબસીડીથી કંઈ ફરક પડતો નથી કારણ કે તેઓનું બજેટ જ ત્રીસ – ચાલીસ લાખ હોય તેને પાંચ લાખથી શું ફરક પડે છે ? છતાં પણ અત્યારે જે પરિસ્થિતિ છે જે થીયેટરોનો પ્રોબ્લેમ છે તેને જોતા સબસીડી ખૂબ જ સહાયરૂપ બને તે પણ કે હકીકત છે.  

n  ગજ્જર નીલેશ