facebook

Showing posts with label ghar maru mandir. Show all posts
Showing posts with label ghar maru mandir. Show all posts

Tuesday, 15 September 2015

ranjan ben parmar

દિવાળી પર્વ પર સૌનું ઘર ‘ઘર મારૂ મંદિર’ જેવું ઉજ્જવળ બની રહે - રંજનબેન પરમાર


    ટૂંક સમય પહેલા જ રીલીઝ થયેલી યંગ જનરેશન પર બનેલી ફિલ્મ ‘ઘર મારૂ મંદિર’ ને ઘણો જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દર્શકોએ ફિલ્મને સ્વીકારી છે અને સારી કોમેન્ટ્સ પણ આપી રહ્યા છે. ફિલ્મના નિર્માતા રમેશ પરમાર હતા. ટૂંક સમયમાં તેમના પત્ની રંજનબેન પરમાર એક એવી ફિલ્મનું મુહુર્ત કરવા જઈ રહ્યા છે જે એક પ્રણયકથા છે. ફિલ્મનું નામ છે ‘મનડું મળ્યું મહેસાણામાં’ જેના નિર્માત્રી રંજનબેન પરમાર છે અને દિગ્દર્શન ઉષા ગોસ્વામી કરશે. ફિલ્મમાં મહેસાણાના કલ્ચરની વાત કરવામાં આવી છે સાથે સાથે ફિલ્મમાં રોમાન્સ, કોમેડી, એક્શન બધું જ હશે. અગાઉની ફિલ્મ ‘ઘર મારૂ મંદિર’ માંથી ફક્ત ને ફક્ત ડીમ્પલ ઉપાધ્યાય આ ફિલ્મમાં રીપીટ થાય તેવી શક્યતા છે. ફિલ્મના અન્ય કલાકારોમાં જોઈએ તો હિતુ કનોડિયા અને જગદીશ ઠાકોર સાથે વાત ચાલી રહી છે. દિવાળી બાદ ટૂંક સમયમાં જ ફિલ્મ ફ્લોર પર લઇ જવામાં આવશે. હિરોઈનોમાં પલ્લવી પાટીલ, ડીમ્પલ ઉપાધ્યાય અને દિશા પટેલ સાથે પણ ફિલ્મ બાબતે વાતચીત ચાલી રહી હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉપરાંત ચરિત્ર અભિનેતાઓમાં ફિરોઝ ઈરાની, હિતેશ રાવલ તથા પ્રશાંત બારોટ હશે.

પ્ર – ફિલ્મના ગીતો ક્યા પ્રકારના હશે?
ઉ – ફિલ્મનું રેકોર્ડીંગ હજી બાકી છે પરંતુ ફિલ્મ પ્રણયરંગ પર આધારિત છે એટલે એક પ્રણય સોંગ હશે. ટાઈટલ સોંગ સરસ લખવામાં આવ્યું છે જે કાનને સાંભળવાલાયક બની રહેશે. ફિલ્મમાં એક લગ્ન ગીતની સાથે સાથે એક ફટાણું પણ છે જે અત્યારના આધુનિક જમાના પ્રમાણે બનેલું છે. એક દર્દભર્યું ગીત પણ દર્શકોને ધ્યાનમાં રાખીને લખાયું છે કે જે પ્રેમી પ્રેમમાં નિષ્ફળ જાય ત્યારે તેના દિલની વેદના આ ગીત દ્વારા વર્ણવવામાં આવી છે.

પ્ર – આપની દિવાળી કેવી હોય છે?
ઉ – દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર છે જેમાં લોકો એકબીજાને મળીને જીંદગીમાં આગળ તરક્કી કરવાના શુભ આશિષ આપે છે. મારા બે દીકરાઔ વતન પરત ફરે છે ત્યારે અમે સાથે દિવાળી ઉજવીએ છીએ. સાથે બહાર ફરવાનું, બેસતા વર્ષના દિવસે મંદિરે ભગવાનના આશીર્વાદ લેવાના વગેરે હોય છે. મારી દિવાળી એકદમ નોર્મલી રીતે હું ઉજવું છું.
પ્ર – આપની ફિલ્મના દર્શકોને અને વાચકોને શું કહેશો?

ઉ – મારા દર્શકોને અને ગુજરાતી ફિલ્મોના તમામ દર્શકોને જેઓ ગુજરાતી ફિલ્મોને જીવાડી રહ્યા છે તેઓને હું દિવાળી અને નવા વર્ષના સાલ મુબારક પાઠવું છું. સિને મેજિકના વાચકોને કહીશ કે આવતી દિવાળી તથા નવું વર્ષ તમારા માટે સારૂ, શુભદાયી અને સુખાકારી રહે. તમારૂ ઘર ‘ઘર મારૂ મંદિર’ જેવું ઉજ્જવળ બની રહે. 

Friday, 4 September 2015

sunny khatri

દર ત્રીજી ફિલ્મે દેખા દેતા ચોકલેટી હીરો સન્ની ખત્રી જોવા મળશે ‘ઘર મારૂ મંદિર’ માં ઘરને બરબાદ કરતા



    આ જ મહિનાની ૧૨ તારીખે એક યંગસ્ટર્સ પર બનેલી સસ્પેન્સ ફિલ્મ ‘ઘર મારૂ મંદિર’ રીલીઝ થવા જી રહી છે જેના નિર્માતા રમેશભાઈ અને દિગ્દર્શક ગુજરાતી ફિલ્મોના મહન સર્જક કેશવ રાઠોડ છે. જેમાં એક તરવરીયો કલાકાર સન્ની ખત્રી પોતાના લાજવાબ અભિનયથી પ્રેક્ષકોને અને ખાસ કરીને યુવતીઓને ચકાચોંધ કરવા આવી રહ્યો છે. ૧૯૮૭માં જન્મેલા સન્ની ખત્રીએ બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે. તે સમયે નાટકોમાં કામ કરતા કરતા ક્યારે ફિલ્મોમાં આવી ગયો તેની તેને ખબર જ ના પડી. ૧૬ વર્ષની ઉંમરે તેને એક ડિરેક્ટરે અભિનય કરતા જોયો અને એક આલ્બમમાં મોકો આપ્યો જે ત્યારે ખૂબ પ્રસિદ્ધ થયું અને સાથે સાથે સન્ની ખત્રી પણ. પ્રથમ ફિલ્મ શૈલેન્દ્ર  ઠાકોરની ‘પ્રીત કરે એ જાણે’ જેમાં એ ખલનાયક તરીકે આવ્યો અને ફિલ્મોમાં જામી ગયો. ત્યાર બાદ અત્યાર સુધી તેણે ઘણા અભિનયક્ષેત્રે પોતાની અભિનયક્ષમતા પુરવાર કરી દીધી છે. થોડા દિવસોમાં રીલીઝ થઇ રહેલી ફિલ્મ ‘ઘર મારૂ મંદિર’ માં સન્ની ખત્રી નાયક પ્લસ ખલનાયક તરીકે આવી રહ્યો છે. હમણાં જ રીલીઝ થયેલી ‘પ્રેમરોગ’ માં તેના પાત્રની નોંધ ફિલ્મ મેકારોએ લીધી અને ફિલ્મ ધૂમ ચાલી રહી છે. થીયેટરોમાં ખાસ્સી ગીર્દી જોવા મળી રહી છે. સાથે સાથે બીજી એક સસ્પેન્સ ફિલ્મ જેના ડિરેક્ટર બાપોદરા છે તે ‘વિશ્વાસઘાત’ પણ આવી રહી છે જેમાં પણ સન્ની ખત્રી એક એવું પાત્ર ભજવી રહ્યો છે જે ફિલ્મમાં ઘણું મહત્વ ધરાવે છે. હજી એક ધીરેન રાંધેજાની ‘કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી’ જેના દિગ્દર્શક હરસુખ પટેલ છે. જેમાં સન્ની ખત્રી વિક્રમ ઠાકોર અને હિતેન કુમાર સાથે સેકન્ડ લીડ હીરો તરીકે એન્ટ્રી મારી રહ્યા છે. પછી તો ઘણી ફિલ્મો તેની આવી રહી છે જેમકે ‘શૂટ આઉટ એટ સુરત’, ‘આંધળીમાંનો દેખતો દીકરો’, ‘દામિની’, ‘મારા સપનાનો સાહ્યબો’ આ બધી જ ફિલ્મોમાં સન્ની અલગ અલગ ગેટઅપમાં દર્શકોને જોવા મળવાના છે. ‘પ્રીતના સોગંધ’ ફિલ્મ માટે પોતાના સિંધી સમાજ તરફથી સન્નીને એવોર્ડથી પણ નવાજવામાં આવેલા છે. ‘લક્ષ્મી’ નામની એક હિન્દી ટીવી સીરીયલ જે ડીડી૧ પર કરી રહ્યા છે અને ટૂંક સમયમાં સહારા વન પર એક હિન્દી સીરીયલમાં પણ દર્શકોને એક એવા પાત્રમાં જોવા મળશે જેની કલ્પના પણ નહિ કરી હોય.  
પ્ર – ‘ઘર મારૂ મંદિર’ ના આપના પાત્ર વિષે?

ઉ – આ ફિલ્મમાં હું હીરો પણ છું અને વિલન પણ છું. મારૂ પાત્ર આમ તો એક વ્યક્તિના ઘરમાં કામ કરતા છોકરાનું છે જેમાં તે જ ઘરમાં રહેતા લોકોના હું કાન ભંભેરણી કરતો રહું છું. ફિલ્મમાં એક પ્રેમ લગ્નનો પ્રસંગ બને છે તેના વિરુદ્ધ જઈને હું તે ઘરના લોકોને કહું છું કે આ લોકો તમને બરબાદ કરી નાખશે એટલે તેઓ મારી વાતમાં આવી જાય છે. ટૂંકમાં મારૂ પાત્ર જેનું હું નમક ખાવું છું તેની સાથે જ નમકહરામી કરૂ છું.

પ્ર – ફિલ્મના નિર્માતા તથા દિગ્દર્શક સાથે કામ કરી કેવું લાગ્યું?
ઉ – ફિલ્મના નિર્માતા રમેશભાઈ નિર્માતા પછી છે પહેલા મારા મિત્ર છે. જેમણે આ ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો હતો ત્યારથી જ તેમણે મારૂ પાત્ર ફિક્સ કરી રાખેલું. આ ફિલ્મના દિગ્દર્શક કેશવજી તો આ ફિલ્મી દુનિયાના મહાન સર્જકોમાંના એક છે એમ હું કહીશ. જેમની સાથે મે ચાર ફિલ્મો કરી છે. ચંદન રાઠોડને હું મોટાભાઈ ગણું છું તે હિસાબે કેશવજીને હું મારા પિતા સમાન ગણું છું.



n  ગજ્જર નીલેશ 

Friday, 28 August 2015

nisha soni

ટુ બી અ ગૂડ એક્ટ્રેસ. ગૂડ હિરોઈન’ : નિશા સોની


   
    કોઈપણ ફિલ્મ આવી રહી હોય. ગુજરાતી ફિલ્મ રીલીઝ માટે તૈયાર હોય ત્યારે ફિલ્મ સાથે જોડાયેલા કલાકાર – કસબીઓના અભિપ્રાય ‘સિનેમેજીક’ નો જે નિયમિત વાચકવર્ગ છે તેઓનું ધ્યાન દોરી રહ્યો છું કે તે કલાકાર – કસબીઓ પોતાના ઇન્ટરવ્યુંમાં એક વાત કોમન કરે છે કે ‘અમારી આ ફિલ્મ કૌટુંબિક છે’. પણ હું તમને જે અભિનેત્રીની વાત જણાવવા જઈ રહ્યો છું તેની આવનારી ફિલ્મનું ટાઈટલ જ પોતાના પરિવાર પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. ફિલ્મનું નામ છે ‘ઘર મારું મંદિર’ તથા તેની અભિનેત્રી છે નિશા સોની. ગુજરાતી ફિલ્મ ઉધોગના મહાનતમ ગણાતા દિગ્દર્શકોમાના કેશવ રાઠોડ આ ફિલ્મના દિગ્દર્શક, ગીતકાર, પટકથાલેખક, સંવાદલેખક પણ છે. ચંદન રાઠોડ, નિશા સોની, ચંદન દેસાણી, ડીમ્પલ ઉપાધ્યાય, સન્ની ખાતરી, ઉષા ભાટિયા, હસમુખ ભાવસાર, જયશ્રી પરીખ, જીજ્ઞેશ મોદી, રત્ના રબારી અને યોગેશ ઠાકર પોતાના અભિનયથી ફિલ્મને ચાર ચાંદ લગાવશે. પરંતુ આપણે વાત કરવી છે નિશા સોની સાથે તેના વિષે.

પ્ર – પ્રથમ આપની ફિલ્મી શરૂઆત વિષે જણાવશો.
ઉ – શરૂઆતમાં હું મોડેલીંગ કરતી હતી. મોડેલીંગ કરતા કરતા એવું લાગ્યું કે ડાન્સ કરવાની – શીખવાની ઈચ્છા થઇ. તેથી ડાન્સ શીખી બાદમાં મારા પપ્પા પહેલેથી જ આલ્બમ બનાવતા હતા એટલે એમના આલ્બમમાં જ મેં સૌપ્રથમવાર કામ કર્યું. એન્ડ ધેન એક્ટિંગ. આ ફિલ્ડમાં મારે એઈટ યર્સ કમ્પ્લીટ થવા આવ્યા છે.
પ્ર – આપની પ્રથમ ફિલ્મ ?
ઉ – મારી ફર્સ્ટ મુવી હતી ‘પ્રીત ઘેલા પારેવડા’. જે ફિલ્મથી મને ગુજરાતી ફિલ્મ ઉધોગ બ્રેક મળ્યો. તે ફિલ્મમાં શંકર ઠાકોર, શર્મિષ્ઠા મકવાણા ( વિચારીને ) વગેરે કલાકારો હતા. અત્યારે દિગ્દર્શક કેશવ રાઠોડ સાથે સેકન્ડ મુવી કરી રહી છું ‘ઘર મારું મંદિર’.

પ્ર ગુજરાતી ફિલ્મોમાં સબસીડી વિષે આપના મંતવ્ય ?
ઉ – એટલું ચોક્કસ કહીશ હાલમાં ગુજારાતી ફિલ્મોની સબસીડી બંધ થઇ છે તો હવે લાગી રહ્યું છે ગુજરાતી ફિલ્મો સારી એવી માતબર કક્ષાની બનશે. સારી સ્ટારકાસ્ટ ધરાવતી સારા બેનર ધરાવતી ફિલ્મો આવશે. જ્યારે સબસીડી ચાલુ હતી ત્યારે કોઈપણ દિગ્દર્શક બની જતા અને ફિલ્મ તૈયાર કરતા જે ચાલી તો ન જ હોય. આવા દિગ્દર્શકો જે ફક્ત સબસીડી માટે જ ફિલ્મ બનાવતા હોય તે નહિ રહે.
પ્ર – દિગ્દર્શક કેશવ રાઠોડ સાથે કામ કરીને કેવું લાગે છે ?
ઉ – કેશવ રાઠોડ એઝ એ ડીરેક્ટર ખૂબ જ ગ્રેટ વ્યક્તિ છે. એમની સાથે હું ફર્સ્ટ વાર જ વર્ક કરી રહી છું. તેમની સાથે વર્ક કરવાની બહુ જ મજા આવી. બહુ જ.

પ્ર – સાથે તેમના સન પણ છે.
ઉ – હા, ચંદન રાઠોડ. તેમની સાથે પણ કામ કરવાની ખૂબ જ મજા આવી. ‘ઘર મારું મંદિર’ ફિલ્મમાં ચંદન રાઠોડ મારી પેરમાં છે.
પ્ર – આપે કદી ડ્રામા પ્લે કર્યા છે ?
ઉ – યસ, એક્ચુલી હું ડ્રામાની આર્ટીસ્ટ છું. મેં જે ડ્રામા પ્લે કર્યા છે તેમાં ‘અમથા અમથા લડીએ અમથા અમથા મળીએ’, ‘એક રે માળાના પંખી’, ‘મુઠ્ઠીભાર સપનું’, પત્ની કમાલ તો પતિ માલામાલ’ આ બધા જ કમર્શિયલ પ્લે છે.
પ્ર – ગુજરાતી સીરીયલ ?
ઉ – નાં, ગુજરાતી સીરીયલ હજી સુધી નથી કરી.
પ્ર – ક્યા પ્રકારના માણસોથી દૂર રહો છો ?
ઉ – ખોટુંબોલા અને ડેન્જર ટાઈપ માણસોથી હું દૂર જ રહું છું.
પ્ર – ફિલ્મ ઉદ્યોગને એક લીટીમાં કઈ કહેવું હોય તો ?

ઉ – હા, એક વાત છે. ‘ટુ બી અ ગૂડ એક્ટ્રેસ. ગૂડ હિરોઈન’ એની અંદર જ બધું આવી જાય છે મારી આ એક લાઈનમાં.