facebook

Saturday 31 October 2015

jagdish thakor

જગદીશ ઠાકોર ‘બેવફા સાજણ’ માં પોતાની વાસ્તવિક જીંદગી સમાન રોલ ભજવશે


    જગદીશ ઠાકોર. આ નામ ડાયરાના રસિયાઓ માટે નવું નથી. ગુજરાતી ફિલ્મોમાં અત્યારે જે સફળ હીરોની ગણતરી થાય છે એમાં જગદીશ ઠાકોરનું નામ પણ છે. દરેક ફિલ્મોમાં પોતાનો વટ, માં જળવાઈ રહે તેવી અભિનયક્ષમતા અને દરેક પાત્રમાં પાત્ર ન લગતા જીવંત અભિનય જોવા મળે તેવી અભિનયની ઝાંખી. તેમના અભિનય પર પણ તો દર્શકો આફરીન છે જ સાથે સાથે તેમની ગાયકી પર પણ લાખો યુવાનો ફિદા થઈને નાચે છે. ડાયરામાં જયારે જગદીશ ઠાકોરનો અવાજ ગુંજે છે ત્યારે યુવાધન હિલોળે ચડે છે. એક એકથી ચડિયાતી ફિલ્મો અને દરેકમાં તેમના અભિનયની પ્રશંસા તેમનો ચાહકો તરફથી તેમને ખિતાબ છે. ટૂંક સમયમાં તેઓ નિર્માતા ભગવાન વાઘેલા સાથે એક નવી ફિલ્મમાં જોવા મળશે. હજી ફિલ્મનું શૂટ ચાલુ છે. અગાઉ ભગવાન વાઘેલા સાથે ત્રણેક ફિલ્મો કરી ચુકેલા જગદીશ ઠાકોરને તેમની મનપસંદ ફિલ્મ ‘ઠાકોર નં. 1’ પ્રિય છે. દરેક ટોચની અભિનેત્રીઓ સાથે કામ કરી ચુકેલા જગદીશ ઠાકોરના ફિલ્મોગ્રાફમાં વધુ એક હિરોઈનનું નામ ઉમેરાવા જઈ રહ્યું છે. નિર્માતા – દિગ્દર્શક ભગવાન વાઘેલાની અપકમિંગ ફિલ્મ ‘બેવફા સાજણ’ માં તેમની હિરોઈન લાખો યુવા હૈયાઓની રાણી મમતા સોની છે. ‘બેવફા સાજણ’ માં આ જોડી પ્રથમવાર પડદા પર જોવા મળશે. અગાઉ જગદીશ ઠાકોર અને મમતા સોની ‘ઠાકોર નં. 1’ માં હતા પણ તેમની બંને વચ્ચે કોઈ સંવાદો નહોતા. હવે તે બંને વચ્ચેની કેમેસ્ટ્રી કેવી જામે છે તે તો ફિલ્મ રીલીઝ થાય પછી જ ખબર પડશે.

    ફિલ્મ ‘બેવફા સાજણ’ માં જગદીશ ઠાકોર જેમ રીઅલ લાઈફમાં સિંગર છે તે જ રીતે રીલ લાઈફમાં પણ સિંગર બતાવવામાં જ આવ્યા છે. સાથે સાથે તેમને મમતા સોની ફિલ્મની હિરોઈન સાથે એકતરફી પ્રેમ હોય છે. જેમાં હીરો હિરોઈનના એક ષડયંત્રનો ભોગ બને છે જેનો ફિલ્મના અંતે ફીરો બદલો લે છે. જગદીશ ઠાકોર ડાયરાકિંગ તો ચેહ જ જેથી તેને ધ્યાનમાં લઈને ફિલ્મના નિર્માતાએ એક સરસ ડાયરો પણ ફિલ્મમાં લીધો છે. હીરોના પિતાનું સપનું પૂરું કરવા હીરો શું વિદેશમાં ગાયક તરીકે પોતાની કેરિયર બનાવી શકે છે કે કેમ તે અહીં જાણવા મળશે. જગદીશ ઠાકોરની પ્રથમ ફિલ્મ ‘તું તો સાજણ મારા કાળજે કોરાણી’ હતી જેમાં તે એક સિંગર તરીકે જોવા મળ્યો હતો અને હવે આ બીજી ફિલ્મ છે ‘બેવફા સાજણ’ જેમાં જગદીશ ઠાકોર એક સિંગર તરીકે દર્શકો સામે આવશે. તેથી અભિનેતાને પણ ખૂબ ખુશી છે કે ફરી તેને આ પ્રકારનો રોલ મળ્યો. વચ્ચે જે પણ ફિલ્મો આવી તેમાં જગદીશે એક્શન હીરોની ભૂમિકાઓ વધુ ભજવી.

પ્ર – તમારી સાથે અન્ય કોઈ હીરો પણ ફિલ્મમાં હોય ત્યારે ડર રહે?
ઉ – એવું છે જ નહિ. મે તમામ પ્રકારની ફિલ્મો સ્વીકારી છે. મને નથી લાગતું કે ડબલ હીરોવાળી ફિલ્મો હોય તો ડરવાની જરૂર છે. તેઓ તેમનું પાત્ર ભજવે છે હું મારા પાત્રને ન્યાય આપવાનો પ્રયાસ કરૂ છું. મારી એવી ઘણી ફિલ્મો છે જેમાં હું સોલો હીરો તરીકે પણ છું અને બે હીરો હોય તેવી ફિલ્મો કરી ચુક્યો છું અને થોડા સમયમાં બીજી ફિલ્મો પણ આવશે. જેમાં મારી સાથે અન્ય અભિનેતાઓ પણ હશે. મારે બધા કલાકારો સાથે ખૂબ સારા સંબંધો છે. હું મારી બાજુમાં કયો કલાકાર છે તે નથી જોતો પરંતુ હું મારા રોલ પર જ વધુ મહેનત કરૂ છું કે આને વધુ સારૂ કઈ રીતે કરી શકાય.

પ્ર – તમારા પ્રોગ્રામો અને ફિલ્મો વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવો છો?
ઉ - પ્રોગ્રામો તો જયારે એની સીઝન હોય ત્યારે જ લઉં છું. હા, એકાદ દિવસ અને નજીકમાં જ જો પ્રોગ્રામ ગોઠવાયો હોય તો ફિલ્મનું શૂટ દિવસે પૂરું કરીને રાત્રે ડાયરો કરી લઉં છું. જયારે પ્રોગ્રામો ખૂબ વધી જાય ત્યારે ફિલ્મો બહુ ઓછી કરી નાખું છું. થોડી તકલીફ થાય પણ કરતો રહીશ તેમાં મને તાજગી મળે છે. કારણ કે, ક્યારેક ક્યારેક તમારે તમારા ચાહકોની રૂબરૂ થવું જોઈએ એવું હું માનું છું.  
પ્ર – અમુક ફિલ્મના પાત્રોનું નામ જગદીશ ઠાકોર જ કેમ?
ઉ – હું માનું છું કે ડાયરાઔમાં ઓડીયન્સ મને જગદીશ ઠાકોર મારા નામથી જ ઓળખે છે તેથી હું મારી ઘણી ફિલ્મોમાં દિગ્દર્શકોને મારૂ નામ જગદીશ ઠાકોર રાખવા જ સૂચવું છું. બીજા નામો પણ હું ફિલ્મોમાં રાખું છું. જેમ કે, અગ્નિ પરીક્ષા ફિલ્મમાં મારૂ નામ દેવરાજ હતું, વાવ ફિલ્મમાં લાખા ઠાકોર નામ હતું. જેના લીધે દર્શકોએ મારો સ્વીકાર કર્યો નહિ.




n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment